વિદ્યાસાગરની મૂર્તિ વિવાદ- મમતા બેનર્જીએ કહ્યું- PM મોદી આરોપ સાબિત કરે નહી તો જેલમાં નાખીશું

મમતા બેનર્જીએ કહ્યું કે, મૂર્તિ કોણે તોડી છે એનો તમામ પુરાવા અમારી પાસે છે અને વડાપ્રધાન મોદી જે ટીએમસી પર આરોપ લગાવી રહ્યા છે તેને સાબિત કરે નહીં તો અમે તેમને જેલમાં નાખીશું.

એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 16 May 2019 05:37 PM

બ્રેકગ્રાઉન્ડ

કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં સમાજસેવી અને સ્વતંત્રતા સેનાની ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવાની ઘટના પર ટીએમસી ચીફ મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લડાઇ ચાલી રહી છે. એક ચૂંટણી રેલીમાં મમતા...More


પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકત્તામાં ઠાકુર પુકુરથી તારતલા સુધી માર્ચ કાઢી હતી. આ અગાઉ મમતાએ એક બેઠક કરી હતી જેમાં મમતા બેનર્જીએ કહ્યું કે, શું વડાપ્રધાન મોદી જ બેઠક કરી શકે છે. લોકતંત્રમાં અમારો કોઇ અધિકાર નથી. ચૂંટણી પંચે અમારો ચૂંટણી પ્રચાર 24 કલાક અગાઉ રોકી દીધો છે. એવામા અમે એ પ્રમાણે પોતાની બેઠક નક્કી કરીશું.