મોદી સરકારને ઘેરવા માટે સોનિયા-મમતાએ બનાવ્યો આ પ્લાન, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆનાથી બાદમાં મતતાને ભાજપના બળવાખોર નેતા યશવંત સિંન્હા અને શત્રુઘ્ન સિન્હા સાથે પણ મુલાકાત કરી. બન્ને નેતાઓને આગામી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર વિરુદ્ધ બધા ક્ષેત્રિય પક્ષોને એકજુથ કરવા માટે મમતા બેનર્જીની પ્રસંશા કરી. મમતાએ આ સાથે અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહી ચૂકેલા અરુણ શોરી સાથે પણ મુલાકાત કરી હતી.
મમતાએ જણાવ્યું કે તેમને સોનિયા સાથે, ક્ષેત્રિય પાર્ટીઓના નેતાઓ સાથે ચાલી રહેલી વાતચીત પણ ચર્ચા કરી. ‘અમે સાથે કામ કરવાની કોશિશ કરી રહ્યાં છીએ, અમે ઇચ્છીએ છીએ કે કોંગ્રેસ પણ આનો, સંયુક્ત વિપક્ષનો ભાગ બને.’ બંગાળના મુખ્યમંત્રીએ મંગળવારે એનસીપી પ્રમુખ શરદ યાદવ અને એનડીએના સહયોગી શિવસેના સહિત કેટલાક ક્ષેત્રિય પક્ષોના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતનો હેતુ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે એક ‘સંઘીય મોર્ચો’ બનાવવાનો છે.
બન્ને નેતાઓએ આ વાત પર ભાર મુક્યો કે રાજ્યોમાં ભાજપ સામે મુકાબલવો કરવા વિપક્ષે એકસાથે આવવું પડશે. મમતાએ કહ્યું, ‘મે તેમને કહ્યું કે દેશ ઇચ્છે છે કે ભાજપની સાથે મુકાબલો આમને સામનેનો થાય, જે પાર્ટી જે રાજ્યમાં મજબૂત છે, તેને ત્યાં ભાજપ સામે લડવું જોઇએ.’ તેમને કહ્યું કે, ‘અમે ઇચ્છીએ છીએ કે કર્ણાટકમં કોંગ્રેસ જીતે કેમકે કર્ણાટકમાં કોંગ્રેસ મજબૂત છે.’
સોનિયા સાથેની મુલાકાત બાદ મમતાએ કહ્યું કે, બન્ને નેતાઓએ વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે રણનીતિઓ પર ચર્ચા કરી. તૃણમુલ નેતાએ સોનિયાને 10, જનપથ પર તેમને ઘરે 20 મિનીટ સુધી મુલાકાત કરી. બાદમાં મમતાએ પત્રકારોને જણાવ્યું કે તેમને સોનિયા ગાંધીને કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે કોંગ્રેસ વિપક્ષનો ભાગ બને.
નવી દિલ્હીઃ 2019 ચૂંટણી પહેલા વિપક્ષને એકસાથે લાવવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે યુપીએના સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી, બન્નેની મુલાકાતમાં ભાજપ વિરુદ્ધ એક વિપક્ષી મોર્ચો તૈયાર કરવા ભાર ભાર મુકાયો. મમતાએ દિલ્હીની પોતાની બે દિવસની યાત્રા પર કેટલાય વિપક્ષી દળોના નેતાઓ સાથે મુલાકાત કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -