✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નિકાહ વખતે લખીને આપવું પડશે- ‘હું ત્રણ તલાક નહીં આપું’: મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Feb 2018 07:52 PM (IST)
નિકાહ વખતે લખીને આપવું પડશે- ‘હું ત્રણ તલાક નહીં આપું’: મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ
1

નવી દિલ્લી: મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ એક મોડલ નિકાહનામું લાવી રહ્યું છે. જેમાં નિકાહ દરમિયાન એક સાથે ત્રણ તલાક ન આપવાની શરત રાખવામાં આવી છે. બોર્ડ પ્રવક્તાએ જણાવ્યું કે, આ મોડલ નિકાહનામામાં એક કોલમ વધારાની જોડવામાં આવશે. આ કોલમમાં હું ત્રણ તલાક નહીં આપુ એવું લખવું પડશે.

2

પર્સનલ લો બોર્ડ પ્રમાણે, એક વખત આ કોલમમાં ટિક કર્યા બાદ પુરુષ પોતાની પત્નીને એક સમયે ત્રણ તલાક નહીં આપી શકે. જો આવું કરે તો તલાક નહીં માનવામાં આવે.

3

બોર્ડના પ્રવક્તા મૌલાના ખલીલુર્રહમાન નોમાનીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, બોર્ડ એક મોડલ નિકાહનામું લાવી રહ્યું છે. આ મોડલ નિકાહનામામાં એક વધારાની કોલમ જોડવામાં આવશે. આ કોલમમાં લખવું પડશે કે, હું ત્રણ તલાક નહીં આપું. નિકાહ વખતે આ કોલમમાં ટિક કરવું પડશે અને નિકાહનામા પર દુલ્હાએ સહી કરી તેની ખાતરી આપવી પડશે.

4

ત્રણ તલાક વિરુદ્ધ પ્રસ્તાવિત કાયદો લોકસભામાં પાસ થયા બાદ મોદી સરકાર હવે રાજ્યસભામાં આ બિલને પાસ કરવાનો પ્રયત્ન કરી રહી છે. રાજ્યસભામાં બહુમત ન હોવા છતા સરકારનો પ્રયાસ રહેશે કે ઉચ્ચ સદનથી પણ મુસ્લિમ મહિલાઓ સાથે જોડાયેલ આ મહત્વનું બિલ પાસ થાય. ત્યાં આ કાયદાનો વિરોધ કરનારા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પસર્નલ બોર્ડ નિકાહનામામાં ફેરફારની તૈયારી કરી રહ્યું છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ત્રણ તલાક રોકવા આ પગલું ઉઠાવ્યું છે. તેના હેઠળ એક મોડલ નિકાહનામું લાવવામાં આવી રહ્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • નિકાહ વખતે લખીને આપવું પડશે- ‘હું ત્રણ તલાક નહીં આપું’: મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.