✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાલ તાત્કાલીક રોકડ ઉપાડની મર્યાદામાં છૂટ નહીં મળે, જાણો તમામ નોટો આવતા કેટલો સમય લાગશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Dec 2016 10:47 AM (IST)
હાલ તાત્કાલીક રોકડ ઉપાડની મર્યાદામાં છૂટ નહીં મળે, જાણો તમામ નોટો આવતા કેટલો સમય લાગશે
1

સુત્રો કહે છે કે, અમારી પાસે એ યોજના છે કે રોકડ ઉપાડની મર્યાદા કયારે દુર કરવી. પણ નિર્ણય સમજી વિચારીને લેવાશે. સરકાર અને રિઝર્વ બેંકને લાગશે કે લોકોને આપવા પુરતા પૈસા છે ત્યારે છૂટ અપાશે. જો કે એક ઝાટકે પણ સમાપ્ત નહિ કરાય પણ તબક્કાવાર રીતે હટાવાશે. જેમાં કેટલાક મહિના લાગશે. જૂની નોટોના બદલામાં નવી નોટ છાપતા ૭ મહિના લાગે તેમ છે. જો બધી ર૦૦૦ની નોટ છપાય તો સ્થિતિ સુધરે તેમ છે. પણ તેમાં પણ સમય લાગશે.

2

રિઝર્વ બેંકે કહયું છે કે, ૧૦મી ડીસે. સુધીમાં ૪.૬૧ લાખ કરોડ જારી થયા છે અને આ તારીખ સુધીમાં બેંકોમાં ૧ર.૪૪ લાખ કરોડ જુની નોટો આવી છે. જે નાણામંત્રાલય અને રીઝર્વ બેંકના સહજ સ્તરથી ઓછી છે જેને આધારે તેઓ રોકડની મર્યાદા હટાવવા ઇચ્છે છે.

3

જો કે નાણામંત્રી જેટલીએ કહયું છે કે જાન્યુ.ના મધ્ય સુધી રોકડના મોરચે સ્થિતિ સામાન્ય થવા લાગશે પણ મળતી માહિતી મુજબ સરકાર અને રીઝર્વ બેંક સ્થિતીની સમીક્ષા કર્યા બાદ જ રોકડની મર્યાદા સમાપ્ત કરવા માટે કોઇ પગલુ લેશે.

4

ગયા મહિનાની ૮ મીએ જયારે વડાપ્રધાન મોદીએ નોટબંધીનું એલાન કર્યુ તે સમયે કહયું હતું કે પ૦ દિવસ માટે લોકોએ લાઇનમાં ઉભુ રહેવું પડશે. અને તે દરમ્યાન ઉપાડની મર્યાદા લાગુ થશે. જો કે હજુ સુધી બેંકો અને એટીએમમાંથી રોકડ ઉપાડની મર્યાદા સમાપ્ત કરવા અંગે કોઇ સત્તાવાર આદેશ નથી આવ્યો. પણ લોકો એવું માનીને ચાલે છે કે ૩૧મી પછી આ મર્યાદા સમાપ્ત થઇ જશે. હાલ બચત ખાતામાં સપ્તાહમાં રૂ. ર૪૦૦૦ ચાલુ ખાતામાંથી પ૦,૦૦૦ રૂપિયા અને એટીએમમાંથી રૂપિયા રપ૦૦ પ્રતિદિન ઉપાડી શકાય છે.

5

નવી દિલ્હીઃ મોદી સરકારે કહ્યું હતું કે, ડિસેમ્બરના અંત કે જાન્યુઆરીના મધ્ય સુધીમાં નોટબંધી સામે લોકોને થતી હાલાકીમાંથી છૂટકારો મળશે. પરંતુ નોટબંધીના સમયમાં રોકડ ઉપાડવાની મર્યાદા સંદર્ભે ક્યારે રાહત મળશે તે અંગે કંઈ સ્પષ્ટ નથી થઈ રહ્યું. હાલમાં તો એટીએમ અને બેંકોમાંથી રોકડ ઉપાડની મર્યાદા હજુ યથાવત રહે તેવી શક્યતા છે કારણ કે સરકાર અને રીઝર્વ બેંક સંપૂર્ણ રીતે નિશ્ચિત થયા બાદ જ આ મર્યાદા હટાવશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • હાલ તાત્કાલીક રોકડ ઉપાડની મર્યાદામાં છૂટ નહીં મળે, જાણો તમામ નોટો આવતા કેટલો સમય લાગશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.