મનમોહન મામલે રાજ્યસભાના સભાપતિએ કહ્યું, ‘PMએ ગૃહમાં નથી આપ્યું નિવેદન, માફી નહીં માંગે’
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ નેતાઓ પર પાકિસ્તાન સાથે મળીને ગુજરાતમાં અહમદ પટેલને સીએમ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનના હાઇકમિશ્નર, પાકિસ્તાનના એક પૂર્વ વિદેશ મંત્રી, ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહની મણિશંકર ઐયરના ઘરે મીટિંગ થઈ હતી. આ મીટિંગ ત્રણ કલાક સુધી ચાલી હતી. આ એક ગંભીર મામલો છે. પાકિસ્તાનના લોકો સાથે ગુપ્ત મીટિંગ કરવાનું કારણ શું છે? મીટિંગના બીજા દિવસે મણિશંકરે મોદીને નીચ ગણાવતું નિવેદન આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ રાજ્યસભામાં તેમની વાત કહેવાનો મોકો મળી શકે છે. આ સમજૂતી વેંકૈયા નાયડૂની પહેલ પર થઈ હતી અને મંગળવારે તે પછી જ રાજ્યસભાની કાર્યવાહી સારી રીતે ચાલી શકી હતી.
નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર પાકિસ્તાન અંગે આપેલા નિવેદનને લઈ રાજ્યસભામાં હંગામો ચાલુ છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા પીએમ મોદી નિવેદન પર અફસોસ વ્યક્ત કરે અને મનમોહન સિંહની માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ કોંગ્રેસની આ માગ પર કહ્યું કે, પીએમ મોદીએ ગૃહમાં આ નિવેદન આપ્યું નથી એટલે તેઓ માફી નહીં માંગે. જે બાદ કોંગ્રેસે હંગામો શરૂ કરી દીધો અને રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. 2 વાગ્યા પછી જેવી ગૃહના કાર્યવાહી શરૂ થઈ કે વિપક્ષી સભ્યોએ વેલમાં ધસી આવીને હોબાળો કરતાં ગૃહ આવતીકાલ સુધી મુલતવી રાખવામાં આવ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -