હવે બે હજારથી વધારેની ડિજિટલ ખરીદીમાં બનશે OTP જરૂરી, જાણો અન્ય વિગતો
સરકારે બજેટમાં ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઈમાં ચૂકવણી નિયામકીય બોર્ડ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. તેનાથી રેફરલ બોનસ યોજના, કેશ બેંક યોજના શરૂ કરવામાં આવશે અને આધાર યુક્ત ચૂકવણી પ્રણાલી જલ્દીથી શરૂ કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો આરબીઆઈ સાઈબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેંકો પાસેથી રિપોર્ટ પણ મંગાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોના મતે આરબીઆઈ દ્વારા ગઠિત સમીક્ષા સમિતિએ ઘણા મુખ્ય અભિપ્રાયો આપ્યા છે, તેમાં ગ્રાહકોને વિભિન્ન માધ્યમોથી દર મહિને સાવધાન કરાવવા અને ડેબિટ-ક્રેડિટ કાર્ડ માટે ઓટીપીને અનિવાર્ય કરવા માટે કહેવામાં આવ્યું છે. સમિતિ બેંકો સાઈબર સુરક્ષાને વધુ સુરક્ષિત બનાવવા માટે નવા ઉપાયો પણ જણાવશે.
ઓટીપી સુવિધા તમામ બેંકોએ પોતાના ગ્રાહકોને આપવી પડશે, પછી ભલેને તે વીઝા, માસ્ટર, અથવા તો દેશી પ્રણાલી આધારિત રૂપે કાર્ડનો જ ઉપયોગ કેમ ન કરતો હોય. બેંકોએ સાઈબર હુમલાથી સુરક્ષિત અને ગ્રાહકોને ફોડથી બચાવવા માટે કેંદ્રીય બેંક જલ્દીથી નવા દિશાનિર્દેશ જાહેર કરી શકે છે.
નવી દિલ્લી: ડિજિટલ લેણદેણની સુરક્ષાને વધુ સુરક્ષિત બનાવવા માટે આરબીઆઈએ ડેબિટ કાર્ડ-ક્રેડિટ કાર્ડની ખરીદીમાં વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) અનિવાર્ય કરવાની તૈયારીમાં છે. આરબીઆઈએ નક્કી કરેલી રાશિ (એકથી બે હજાર)થી ઉપરની ખરીદી પર બેંકો માટે આ સેવા આપવી જરૂરી બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -