ડેરા હિંસા પર ઉમર અબ્દુલ્લાએ કહ્યું- પેલેટ ગન માત્ર કાશ્મીરીઓ માટે જ છે?
નવી દિલ્લી: નેશનલ કોંફ્રેંસના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ બળાત્કાર કેસમાં સીબીઆઇ કોર્ટે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને શુક્રવારે દોષી જાહેર કર્યાબાદ હરિયાણામાં ફેલાયેલી ભારે હિંસાને લઈને સુરક્ષા દળ પર સવાલ ઉઠાવ્યો છે.
ઉમર અબ્દુલાએ કોર્ટના નિર્ણય બાદ ડેરાના સમર્થકોની હિંસાનો સહારો લેતા ટ્વિટર પર લખ્યું કે, મીર્ચી બમ કાળી મીર્ચ પાઉડરના ગ્રેનેડ પેલેટ ગન શું જવાનોએ કાશ્મિરમાં વિરોધ પ્રદર્શન કરનાર કાશ્મીરીઓ માટે રાખી મુક્યા છે.
હરિયાણામાં ડેરાના અનુયાયિઓના અથડામણમાં 28 લોકનો મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ઉમર અબ્દુલાએ અસરગ્રસ્ત વિસ્તાર વિશે સુરક્ષા દળના એક વરિષ્ઠ અધિકારીના નિવેદન પર પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. નેશનલ કોંફ્રેંસના કાર્યકારી અધ્યક્ષે અધિકારી પર નિશાન તાકતા કહ્યું, એવું લાગે છે હિંસાના દ્રશ્ય માત્ર ખાટા સમાચારો છે. બધુંજ એ લોકોના નિયંત્રણમાં છે, ઓબી વાન પોતે જ હિંસા ફેલાવી રહી છે.