Budget 2019: મોદી સરકારે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, ખેડૂતોને કેટલા રૂપિયા આપશે?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Feb 2019 11:54 AM (IST)

1
પિષુય ગોયલે રજુ કરેલા બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી. જેમાં કેન્દ્ર સરકાર 12 કરોડ ખેડૂતોના ખાતામાં દર મહિને 500 રૂપિયા જમા કરાવશે.
2
આ સ્કિમ ડિસેમ્બર 2018થી લાગુ કરવામાં આવશે. જેનો અંદાજીત ખર્ચ 75,000 કરોડ રૂપિયા વર્ષે સરકાર ભરશે. નાના ખેડૂતોને દર મહિને 500 રૂપિયા મળશે. ખેડૂતોને ત્રણ ભાગમાં રૂપિયા આપવામાં આવશે.
3
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી પીયૂષ ગોયલ આજે લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી અગાઉ મોદી સરકારનું આ અંતિમ બજેટ હશે. ચૂંટણીનું વર્ષ હોવાથી વિવિધ વર્ગો બજેટ પાસે અનેક રાહતની આશા રાખીને બેઠા છે. ખેડૂતો માટે નાણાં મંત્રી પિયુષ ગોયલે કિસાન સમ્માન નિધિ યોજનાનું એલાન કર્યું છે. તેના હેઠળ 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને 6000 રૂપિયા સરકાર ખાતામાં જમા કરાવશે.