તામિલનાડુના પૂર્વ CM કરુણાનિધિની તબિયત લથડી, PM મોદીએ ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગત
કાવેરી હોસ્પિટલના મેડિકલ બુલેટિનના જણાવ્યા અનુસાર વધતી જતી ઉમરના કારણે જ કરુણાનિધિની તબિયત લથડી છે. તેમને વારંવાર તાવ આવે છે. આ ઉપરાંત તેમને યુરિનમાં ઈન્ફેકશન થયું છે. કરુણાનિધિની મુલાકાત લઈ પરત ફરેલા રાજ્ય સરકારના પ્રધાન ડી. જયાકુમારે જણાવ્યું કે હાલ તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. અને આશા છે કે તેઓ ઝડપથી સાજા થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને દ્રવિડ મુનેત્ર કગઝમ(ડીએમકે)ના પ્રમુખ એમ, કરુણાનિધિની તબિયત બગડતા તેમની હાલ તેઓના નિવાસ સ્થાને સારવાર ચાલી રહી છે.અને તેમનાં ખબર અંતર પૂછવા માટે પનીરસેલ્વમ અને કમલ હાસન સહિતના અન્ય નેતાઓ ગયા હતા. કાવેરી હોસ્પિટલના ડૉક્ટર પૂર્વ મુખ્યમંત્રીની સારવાર કરી રહ્યા છે. કરૂણાનિધિના પુત્રએ જણાવ્યું કે તેમને તાવ આવ્યો છે. તેમના સ્વાસ્થને લઈને ચિંતા કરવાની જરૂર નથી.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાથર્ના કરી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, એમ કે સ્ટાલિન અને કનિમોઝી સાથે વાત કરી. તેમને કરૂણાનિધિની તબીયત વિશે પુછ્યું. હું કરૂણાનિધિના જલ્દી સ્વસ્થ થવાની મંગલકામના કરુ છું.
કરુણાનિધિની તબિયત એકાએક લથડતાં તેમના અનેક સમર્થકો પણ તેમની ખબર પૂછવા તેમના નિવાસ સ્થાને દોડી આવ્યા હતા. તામિલનાડુના ઉપ મુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમ સહિત અનેક પ્રધાનો અને એઆઈએડીએમકેના વરિષ્ઠ નેતાઓ કરુણાનિધિની તબિયતની જાણકારી મેળવવા તેમના નિવાસ સ્થાને દોડી ગયા હતા. આ દરમિયાન તેમણે ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમ કે સ્ટાલિનની પણ મુલાકાત લીધી હતી. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે એઆઈએડીએમકેના નેતા કરુણાનિધિના નિવાસે ગયા હોય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -