પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બજેટ વિશે શુ કહ્યું, જાણો
ખેડૂતોની હાલત સુધારવા માટે ધણી મોટી જાહેરાત કરવામાં આવી છે. ડિજિટલ લેવડ-દેવડના કારણે કાળાનાણા પર રોક લાગશે અને ભ્રષ્ટાચારનો ખાત્મો થશે.
વિત્ત મંત્રીએ બજેટમાં ખેડૂતો, મજુર, યુવાઓ, મહિલાઓ તમામ માટે ધણી જાહેરાત કરી છે. તમામ લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવી છે.
નવી દિલ્હી : નાણામંત્રી અરૂણ જેટલીએ નાણાકીય લેવડ-દેવડમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાની દિશામાં અનેક મોટા પગલાઓની જાહેરાત કરી છે. સાથોસાથ તેમણે રાજકીય પક્ષોને મળતા દાનમાં મોટાપાયે ગેરરીતી ઉપર પ્રહાર કરવાના અનેક પગલાઓની જાહેરાત કરી છે. જેટલીએ બજેટ ભાષણમાં આ પગલાઓની જાહેરાત કરી ત્યારે સત્તા પક્ષના સભ્યોએ હસતા હસતા ટેબલ થપથપાવ્યા હતા.
નવી દિલ્લી: બજેટ બાદ પ્રધાનમંત્રી મોદીએ પ્રશંસા કરતા કહ્યું બજેટ ઐતિહાસિક છે. આ દેશને આગળ લઈ જનાર બજેટ. પીએમ મોદીએ કહ્યું બજેટમાં તમામ વર્ગના લોકોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.