નેધરલેન્ડમાં પીએમ મોદીઃ પાસપોર્ટના રંગ બદલાવાથી લોહીના સંબંધ નથી બદલાતા
ટેકનોલોજી સરળ છે કે મોબાઇલ ફોનથી દરેક લોકો સાથે જોડાઇ શકાય છે અને સંગઠન જ શક્તિ છે. સરકારની તરફથી એમ્બેસી હોય છે એમ્બેસેડર હોય છે હિન્દીમાં તેમને રાજદુત કહે છે પણ અહીંના ભારતીય રાષ્ટ્રદૂત છે દરેક ભારતીય દરેક ખુણામાં રાષ્ટ્રદૂત છે. આપણા દેશની સારાઇથી વિશ્વને પરિચિત કરાવવો, ભારત એવો દેશ છે જ્યાં દરેક સંપ્રદાય વસી રહ્યા છે. નાનમાં નાનો સંપ્રદાય ભારતમાં મળી રહેશે અને શાંતિથી જીવે છે. જ્યારે વિશ્વના અન્ય દેશના નેતાઓને મળું છું ત્યારે સાવસો કરોડ જનતાનો નેતા છે એવું માની લોકો મને જુએ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોદીએ કહ્યું, નવી સરકારના રાજમાં લોકભાગીદારીને પ્રાથમિકતા આપી છે. સરકારી પ્રયત્નોથી વધુ જનભાગીદારી મોટી ભૂમિકા ભજવે છે. વિદેશી વિચારધારા છે ભારતીય મહિલા રસોડામાં જ હોય છે પણ સત્ય એ નથી. આજે પશુપાલન ડેરી મહિલાઓ સંભાળે છે. ખેતિમાં પણ મહિલાઓની ભાગીદારી રહી છે.
જો કે મહત્વનું છે નેધરલેન્ડની ઘરતી પર મોદીએ ભારતમાંથી નેધરલેન્ડમાં સ્થાયી થયેલા લોકોનો આભાર માન્યો. નેધરલેન્ડની ઘરતીને પણ બીરદાવી. મોદીએ વિદેશની ધરતી પર કેન્દ્ર સરકારની યોજનાઓની વાત કહી. જેમાં મુદ્રા યોજના અને જનધન યોજનાઓની વાત કહી. દાળના ભાવ અંગે ખેડૂતોના પુરુષાર્થનો ઉલ્લેખ કર્યો. ભારતીય મહિલાઓને લઇને વૈશ્વિક વિચારધારાઓ અંગે ખંડન કરતા કહ્યું છે. ભારતની મહિલાઓ ભારતના વિકાસનો એક ભાગ છે. જેમની એક આગવી ગરિમાં છે.
હેગઃ નેધરલેન્ડના હેગમાં પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું. અહીં પીએમે 3 હજાર ભારતીયોને સંબોધિત કર્યા. મોદી મંગળવારે જ નેધરલેન્ડ પહોંચ્યા. મોદીએ અહીં ભારત અને નેધરલેન્ડ સંબંધો અંગે પણ વાત કહી. ભારત જનભાગીદારીને મહત્વ આપતો દેશ છે અને તેથી તે વિશ્વના નકશમાં વિકાસ કરતો જાય છે. મોદીએ પોતાના ભાષણમાં મહિલા સશક્તિકરણ પર ભાર મુક્યો અને દેશના વિકાસમાં ભારતીય મહિલાઓનું યોગદાન હોવાનું જણાવ્યું.
સામાજિક રચાના એવી છે કે ભારતમા વિકાસની યાત્રામાં મહિલાઓની ભૂમિકા છે. એટલે સરકારમાં 50 ટકા જનસંખ્યામાં મહિલાઓને પ્રાધાન્ય અપાયું છે. મુદ્રા યોજનામાં કોઇ પણ પ્રકારની ગેરેન્ટી વગર લોકોને જાણકારી મળે છે જેમા 50 હજારથી લઇને એક લાખ રૂપિયાની લોન મળી રહે છે. સાત કરોડ લોકોએ આ યોજનાનો ફાયદો ઉઠાવ્યો. દુનિયામાં પ્રસુતિની રજા 12 સપ્તાહ હોય છે. ભારત એક એવો દેશ છે જ્યા વર્કિગ વુમન માટે 26 સપ્તાહની પ્રસુતિની રજા મળે છે.
મોદીએ કહ્યું દરેક ભારતીયને પ્રાર્થના છે પાસપોર્ટના રંગના આધારે કોઇ સાથે સંબંધના જોડો, જે ધરતીની પૂજા એ કરે છે એ જ ધરતીની પૂજા હું કરું છું. આપણે એક બનીને રહીએ અને સાથે મળીને કાર્યક્રમ કરીએ. એ જ ખરો વિકાસ છે. પરદેશમાં પણ લોકોએ ભારતીય સંસ્કૃતિને જાળવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -