પ્રેસ કોન્ફરન્સમાં PM મોદીએ કર્યો ફરી સરકાર બનાવવાનો દાવો, અમિત શાહે આપ્યા સવાલોના જવાબ
લોકસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 17 May 2019 08:27 PM

બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. અમિત શાહે કહ્યુંકે, અંતિમ તબક્કાના મતદાન અગાઉ આ અંતિમવાર પ્રેસ કોન્ફરન્સ...More
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. અમિત શાહે કહ્યુંકે, અંતિમ તબક્કાના મતદાન અગાઉ આ અંતિમવાર પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરવામાં આવી રહી છે. તેમની સાથે વડાપ્રધાન મોદી પણ હાજર છે.
મોદીએ કહ્યું કે, આ ચૂંટણી સકારાત્મક અને શાનદાર રહી છે. તે આ વખતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા નહોતા પરંતુ લોકોનો આભાર માની રહ્યા હતા. મોદીએ કહ્યું કે, ચૂંટણી દરમિયાન આઇપીએલ, બોર્ડની પરિક્ષાઓ, રમઝાન અને નવરાત્રી એકસાથે ચાલી રહી છે. ભારત દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે. વિશ્વને આપણે પ્રભાવિત કરવા જોઇએ.