✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બિહારના 13 જિલ્લાઓમાં પૂરથી ભારે તબાહી, મૃતકોની સંખ્યા વધીને 56 પહોંચી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Aug 2017 07:54 AM (IST)
બિહારના 13 જિલ્લાઓમાં પૂરથી ભારે તબાહી, મૃતકોની સંખ્યા વધીને 56 પહોંચી
1

પટના: બિહારના 38 જિલ્લામાંથી 13 જિલ્લા પૂરની ઝપેટમાં છે. પૂરના કારણે પૂર્ણિયા જિલ્લામાં સ્થિતિ ખૂબ જ ભયાનક છે. અહીં અનેક ગામોમાંથી પાણી નીકળી ગયું છે પરંતુ લોકોની મુશ્કેલીઓ વધી ગઇ છે. ત્યાં અનેક વિસ્તાર હજુ પણ જળમગ્ન છે. પરિસ્થિતિ હજું પણ એટલી ગંભીર છે કે, લોકો સરકારના મદદની રાહ જોઇ રહ્યા છે પરંતુ તંત્રનો કંઇજ પત્તો નથી. પૂરથી મરનાર સંખ્યા વધીને 56 સુધી પહોંચી છે.

2

રસ્તાઓ તૂટી જતા બન્ને બાજુએથી લોકો ફસાયા છે. કિશનગંજથી અરરિયા આવવા જવાનો હવે માત્ર હોડીનો સહારો લેવો પડે છે. હજુ પણ તંત્ર ત્યાં ફરકતું દેખાયુ નથી. અરરિયામાં પૂરના કારણે 20 લોકોના મૃત્યુ થયા છે. અહીં પણ ચાર દિવસથી મદદની રાહ જોઇ રહ્યા છે.

3

પૂરની ઝપેટમાં પૂર્ણિયા શહેરથી 30 કિલોમીટર અંતરે નેશનલ હાઇવે 32 પર બનેલ દીધી પુલ પણ તૂટી ગયો છે. બે દિવસથી આ પૂલ પર ટ્રાફિક બંધ છે. જેનાથી લોકોને ભારે મુશીબતનો સામનો કરવો પડી રહ્યો છે.

4

બિહામાં પૂરની સૌથી વધારે અસર પૂર્ણિયા જિલ્લામાં છે. કેટલાક વિસ્તારોમાં પૂરનુ પાણી ઉતરી ગયું છે. પરંતુ અહી કાંઇ બચ્યું નથી. ઘરમાં અનાજથી લઇને તમામ સામાન બર્બાદ થઇ ગયો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • બિહારના 13 જિલ્લાઓમાં પૂરથી ભારે તબાહી, મૃતકોની સંખ્યા વધીને 56 પહોંચી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.