જેના ઘરમાં લગ્ન છે તે કેવી રીતે ઉપાડી શકશે 2.5 લાખ રૂપિયા? જાણો
પૂરાવા તરીકે કંકોત્રી, લગ્ન સાથે જોડાયેલ ખર્ચમાં એડવાન્સ પેમેન્ટની રિસીપ્ટ પણ આપવી પડશે. કંકોત્રીની સાથે કન્યા-વરરાજાના સંપૂર્ણ જાણકારી પણ આપવી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવી દરેક વ્યક્તિ પાસેથી એવી ખરાઈ કરાવવાની રહેશે કે તેનું કોઈ બેંક ખાતું ન હોવાથી તે રોકડેથી જ નાણા લેશે.
રૂપિયા કન્યા અથવા વરરાજા અથવા તો તેના માતા-પિતામાંથી કોઈ એક વ્યક્તિ જ ઉપાડી શકશે. કન્યા અથવા વરરાજા પક્ષ બન્ને અલગ અલગ 2.5 લાખ રૂપિયા ઉપાડી શકે છે.
જેના ઘરમાં લગ્ન છે તે 30 ડિસેમ્બર સુધી પોતાના ખાતામાંથી 2.5 લાખ રૂપિયા ઉપાડી શકે છે. પરંતુ શરત એટલી છે કે ખાતામાં આ રકમ 8 નવેમ્બર પહેલાથી જ જમા હોવી જોઈએ. રૂપિયા ત્યારે જ ઉપાડી શકાશે જ્યારે લગ્ન 30 ડિસેમ્બર અથવા તેની પહેલા હોય.
નવી દિલ્હીઃ જેના ઘરમાં લગ્ન છે તેના માટે રિઝર્વ બેંકે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. લગ્ન હોય તેવા લોકો માટે રિઝર્વ બેંકની આ ગાઇડલાઈન રાહત ઓછી અને આફત વધારે નજર આવી રહી છે. જે ઘરમાં લગ્ન છે તેને કેવી રીતે બેંકમાંથી 2.5 લાખ રૂપિયા મળી શકે છે તે અંગે આજે સરકારે નિયમ સ્પષ્ટ કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -