ગુર્જર અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને આપ્યો મોટો ફટકો, જાણો શું કહ્યું....
હાલમાં જ રાજ્યમાં કુલ અનામત ૪૯ ટકાના સ્તર પર છે. જો વધુ પાંચ ટકા અનામતનો અમલ કરાયો તો કુલ અનામત ૫૦ ટકાથી વધીને ૫૪ ટકા થઈ જાય. રાજસ્થાન વિધાનસભાએ ચોમાસું સત્રમાં ગૃહમાં આ બિલ પણ રજૂ કર્યું હતું. પરંતુ રાજસ્થાન હાઈકોર્ટમાં અપીલ કરાતા હાઈકોર્ટે તેનો અમલ સ્થગિત કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવાયું છે કે હાઈકોર્ટે વિધાનસભામાં આ બિલ રજૂ કરવાની પ્રક્રિયા પર સ્ટે મૂકતો આદેશ કર્યો છે તે યોગ્ય ન હતો અને આથી તે આદેશના એટલા ભાગ પર સ્ટે મૂકવામાં આવે છે. જોકે કોર્ટે કહ્યું હતું કે અનામતના લાભ આપવાના મામલે કોઈ જ એવો વહીવટી નિર્ણય લેવો ન જોઈએ જેનાથી કુલ અનામત ૫૦ ટકાથી વધારે થાય.
રાજસ્થાનની વસુંધરારાજે સિંધિયા સરકારે ગુર્જરોનો રોષ શાંત કરવા પાંચ ટકા અનામતની જાહેરાત ગત ઓગસ્ટમાં કરી હતી. રાજ્ય સરકારે ઓબીસી માટે અનામતનો વ્યાપ ૨૧ ટકાથી વધારીને ૨૬ ટકા કર્યો હતો અને ગુર્જરો તથા અન્ય કેટલીક જ્ઞાતિને પાંચ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી.
સુપ્રીમ કોર્ટે ૧૩મીએ આ આદેશ કર્યો હતો, જે બુધવારે ૧૫મીએ ઉપલબ્ધ થયો હતો. આમ હાલ તો ગુર્જરોને અનામત પર પડદો પડી ગયો છે. ગુજરાતમાં પાટીદારો અનામતની માગણી કરી રહ્યા છે અને ચૂંટણીમાં આ મામલે ખાસ્સી ચર્ચા થઈ રહી છે ત્યારે ગુર્જરોના અનામત અંગે સુપ્રીમ કોર્ટનો આ આદેશ સૂચક છે.
જયપુરઃ ગુર્જરોને અનામત આપવાના મુદ્દે રાજસ્થાન વિધાનસભામાં પસાર થયેલ ઓબીસી આરક્ષણ બિલ-2017 પર પ્રતિબંધ લગાવવા સંબંધીત હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટને વિધાનસભાની પ્રક્રિયાને રોકવાનો કોઈ અધિકાર નથી. જોકે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ મામલો જ્યાં સુધી કોર્ટમાં વિચારાધીન છે ત્યાં સુધી અનામત 50 ટકાથી વધારે આપી શકાશે નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -