સોનિયા ગાંધીની ડિનરમાં મનમોહન સિંહને લાલુની કમી વર્તાઈ, જાણો કોણે કર્યો આવો દાવો
નવી દિલ્હીઃ દેશના તમામ વિપક્ષોને એક મંચ પર લાવવા માટે કોંગ્રેસ અધ્યક્ષ અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ મંગળવારે તેમના નિવાસ સ્થાન 10, જનપથ એક ડિનર પાર્ટી આપી હતી. સોનિયા ગાંધીના ઘર પર દેશના તમામ વિપક્ષી દળોને મેળો જામ્યો હતો. જેમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની કમી વર્તાઈ રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વાતનો ખુલાસો લાલુ પ્રસાદ યાદવની મોટી દીકરી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતીએ તેની ફેસબુક પોસ્ટમાં કર્યો છે. મીસા ભારતીએ આ પોસ્ટમાં લખ્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે તેમને કહ્યું કે, લાલુ પ્રસાદ યાદવની કમી ન માત્ર સોનિયા ગાંધીની ડિનર પાર્ટીમાં વર્તાઇ રહી છે પરંતુ દેશની રાજનીતિમાં પણ લાલુની ગેરહાજરીનો અનુભવ થઈ રહ્યો છે.
મીસા ભારતીએ કહ્યું કે, સોનિયા ગાંધીની ડિનર પાર્ટીમાં વિપક્ષી દળોના નેતાઓ દ્વારા દેશની વર્તમાન સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ ચારા કૌભાંડમાં દોષી ઠર્યા બાદ હાલ રાંચીની બિરસા મુંડા જેલામાં બંધ છે. આરજેડી વતી તેજસ્વી યાદવ અને તેની બહેન મીસા ભારતી ડિનર પાર્ટીમાં સામેલ થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -