સાઉથની આ હોટ હીરોઈને જયલલિતાના મોત અંગે ઉઠાવ્યા સવાલ, ગુપ્તતા અંગે પણ કરી શંકા
આ પહેલા AIADMKમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય શશિકલા પુષ્પાએ પણ થોડા દિવસે પહેલા આક્ષેપ કર્યા હતા કે જયલલિતાના સ્વાસ્થ્ય અંગેની માહિતીમાં પારદર્શકતા નહોતી અને અપોલો હોસ્પિટલના રિપોર્ટ્સ પર આંધળો વિશ્વાસ કરવામાં આવતો હતો. હવે AIADMKના નેતાઓને શંકા છે કે કેટલાક લોકો પુષ્પા અને ગૌતમીનો ઉપયોગ કરી શશિકલા નટરાજન પર નિશાન સાધી રહ્યા છે. જયલલિતાના સમર્થક અને અભિનેતામાંથી રાજકારણી બનેલા સરથ કુમારે ગૌતમીના આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે પીએમ મોદીએ ગૌતમીને જવાબ આપ્યો છે કે આપશે તે સ્પષ્ટ નથી. પણ ગૌતમીના આ પત્રથી તેના જીવનના કેટલાક પ્રકરણ પર ફોકસ વધ્યું છે.
જયલલિલતાના હોસ્પિટલમાં દાખલ થયા બાદ ડીએમકેના ચિફ કરૂણાનિધીએ તેમની તબિયતનો ડિટેઈલ રિપોર્ટ અને અપડેટ્સ તેમને મળી તેની માગ કરી હતી. અને પીએમકેના ચિફ રામાદોસે જયલલિલતાના હોસ્પિટલ રૂમની અંદરના વીડિયો ફૂટેજની માગ કરી હતી. જેની ખૂબ આલોચના કરવામાં આવી હતી. કેટલાકે કહ્યું હતું કે, જેમ લોકોને પોતાના સીએમની તબિયત અંગે જાણવાનો અધિકાર છે તેમ જયલલિતાને પણ તેની ગુપ્તતા જાળવવાનો અધિકાર છે.
હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે ગૌતમી પણ 2005માં કેન્સરની સર્જરી માટે અપોલો હોસ્પિટલમાં દાખલ થઈ હતી. તે સમયે તેણે પોતે પણ ગુપ્તાતા રાખવા માટે વિનંતી કરી હતી અને તે દાખલ થઈ છે તેની જાણ કોઈને ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. અમે તેમની પ્રાઈવસીનું ધ્યાન રાખ્યું હતું અને અમે અમારા દરેક દર્દી માટે આમ જ કરીએ છીએ.
ગૌતમીના આ પત્રથી હોસ્પિટલના અધિકારીઓ પણ નાખુશ છે. અપોલો હોસ્પિટલના ખાસ સૂત્રોએ જણાવ્યું છે જ્યારે કમલ હસનને જુલાઈ મહિનામાં ફ્રેક્ચર થયું ત્યારે દાખલ કરાયા હતા. તે સમયે ગૌતમીએ કમલ હસનની દિકરી શ્રૃતિને પણ જાણ કરી નહોતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે બીજા દિવસે સવારે શ્રૃતિએ અપોલો હોસ્પિટલના ચોથા માળે આવી ગુસ્સે થઈ હતી. તે આવીને ગૌતમી પર ગુસ્સે થઈ હતી, કે તેને તેના પિતાની તબિયત અંગે ટ્વિટર પરથી જાણકારી મળે તે હદ છે.
ગૌતમીએ સવાલ ઉઠાવ્યા છે કે, તમિલનાડુના મુખ્યમંત્રી લોકપ્રિય નેતાની માંદગી અંગે આટલી બધી ગુપ્તતા શા માટે રાખવામાં આવી હતી? ક્યા સત્તાધિકારીએ સ્વર્ગસ્થ સીએમની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો? જ્યારે જયલલિતાની તબિયત નાજૂક હતી તે સમયે તેમના સ્વાસ્થ અને સારવારને લગતા નિર્ણયો કોણ લેતું હતું? જનતાના આ સવાલોના ઉત્તર આપવાની જવાબદારી કોની છે?
ચેન્નાઈ: સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીની અભિનેત્રી ગૌતમી તડીમલ્લાએ પીએમ મોદીએ જયલલિતાના અવસાન બાદ એક પત્ર લખ્યો છે. પોતાના બ્લોગ પર લખેલા આ જાહેર પત્રમાં ગૌતમીએ જયલલિલતાના નિધન અંગે સવાલ ઉઠાવ્યા છે.
ગૌતમીના આ પત્રથી ઘણા સવાલો ઉભા થાય છે. કેમકે ગૌતમી છેલ્લા દસ વર્ષથી એક્ટર કમલ હસન સાથે લિવ-ઈન રિલેશનશીપમાં હતી. અને નવેમ્બર મહિનામાં તે બંને છૂટા પડ્યા હતા. કમલ હસનની જયલલિતા સાથે બહુ સારા સંબંધો નહોતા. કમલ હસનને શંકા છે કે 2013માં આવેલી તેમની ફિલ્મ વિશ્વરૂપમની રિલીઝમાં મુશ્કેલી ઉભી કરવામાં AIADMKના કાર્યકર્તાઓનો હાથ હતો. જો કે આ વાતનો જયલલિતાએ અસ્વીકાર કર્યો હતો. આ પછી જયલલિતાના નિધન બાદ કમલ હસને વિવાદીત ટ્વિટ કર્યુ હતું. બીજી બાજુ જયલલિતાની બિમારીને જોતા નવેમ્બરમાં કમલે પોતાના ફેંસને તેનો જન્મદિવસ ન ઉજવવાની અપીલ કરી હતી. ગૌતમીએ સ્પષ્ટતા કરી છે કે તેણે આ પ્રશ્નો એક જવાબદાર નાગરિક તરીકે કર્યા છે. જો કે આ સવાલો કરી તે શશિકલા પર નિશાન સાધતી હોય તેમ લાગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -