‘પદ્માવત’ ફિલ્મ વિશે રાજસ્થાનમાં હાઈકોર્ટના જજે શું કહ્યું, જાણો વિગત
ન્યાયમુર્તિ સંદિપ મહેતાએ ભણસાલી, રણવીર સિંહ અને દિપિકા વિરૂદ્ધની ફરિયાદ રદ કરવાનો આદેશ આપતા કહ્યું હતું કે, ફિલ્મમાં રાજપુત મહારાણી પદ્મમીને ગૌરવપુર્વક બતાડવામાં આવેલ છે અને તેમાં એવું કશું નથી જેમાં ઐતિહાસિક તથ્યોને તોડી મરોડીને રજુ કરવામાં આવેલ હોય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે, રાણી પદ્મમીની ધાર્મિક પાત્ર ન હતી પરંતુ ઐતિહાસિક ચરિત્ર હતી તેથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ બની ન શકે. સેન્સર બોર્ડ એક સ્વતંત્ર સંસ્થા છે અને તે બધું જોયા બાદ જ સર્ટિફીકેટ આપે છે. જો તેમાં કોઈને વાંધો હોય તો તેને ચેલેન્જ કરી શકાય છે.
બીજી વાત એ છે કે, જો ફિલ્મમાં કોઈ વાંધાજનક સીન હોય તો એ સેન્સર બોર્ડ નક્કી કરશે કે ફિલ્મ રિલીઝ કરવી કે નહીં. આમ છતાં પણ કોઈને લાગે કે ફિલ્મમાં વાંધાજનક છે તો તમે સેન્સર બોર્ડના સર્ટિફીકેટને પડકારી શકો છો પરંતુ આ રીતે રિપોર્ટ નોંધાવી ન શકો.
સંજય લીલા ભણસાલી વિરૂદ્ધ ફેબ્રુઆરી-2017માં નાગૌરના ડીડવાનામાં લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. રાજસ્થાન હાઈકોર્ટે તેમની વિરૂદ્ધની આ એફઆઈઆર પણ રદ કરી છે. આ દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, એ ફરિયાદ પ્રિ-મેચ્યોર હતી કારણ કે ત્યારે ફિલ્મ બની ન હતી.
જયપુર: રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર ખંડપીઠે ‘પદ્માવત’ ફિલ્મ નિહાળ્યા બાદ પોતાના આદેશમાં જણાવ્યું છે કે, ફિલ્મમાં કોઈપણ પ્રકારે ઐતિહાસિક પાત્રોનું ચરિત્રનું હનન કરવામાં આવ્યું નથી. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, અમે ફિલ્મ નિહાળી છે અને તેમાં ઐતિહાસિક પાત્રોને અત્યંત સન્માનજનક રીતે રજુ કરવામાં આવ્યા છે તેથી રાજ્ય સરકારે સુનિશ્ચિત કરે કે ‘પદ્માવત’ ફિલ્મ રાજસ્થાનમાં રિલીઝ થઈ શકે કે જેથી સામાન્ય લોકો તે નિહાળી શકે.
‘પદ્માવત’ ફિલ્મ રિલીઝ થવાથી આમ જનતાને એક સારી ફિલ્મ જોવા મળશે. કોર્ટે કહ્યું છે કે, આ ફિલ્મ રિલીઝ નહીં થવાથી આમ જનતા એક સારી ફિલ્મ જોતાં રોકવામાં આવી રહ્યા છે. હજુ ગુજરાતમાં પદ્માવત ફિલ્મને રિલીઝ કરવા માટે કોઈ પણ પ્રકારની મંજૂર મળી નથી. પદ્માવત ફિલ્મ હાઈકોર્ટના જજ સહિત અન્ય સ્ટાફ પર ઉપસ્થિત રહ્યો હતો. જ્યારે થિયેટરની બહાર 200 પોલીસ જવાનના કાફલા સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -