Budget 2018: ગરીબો માટે સરકારે કરી મોટી જાહેરાત, હવે 5 લાખ સુધીનો સ્વાસ્થ ખર્ચ સરકાર ઉઠાવશે, જાણો
નવી દિલ્હીઃ નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (રાશ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના) અંતર્ગત હવે 10 કરોડ ગરીબ પરિવારો માટે વાર્ષિક 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ વીમો (હેલ્થ ઇન્શ્યોરન્સ)ની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી અરૂણ જેટલીએ તેને વિશ્વનો સૌથી મોટો હેલ્થ કેર પ્રોગ્રામ ગણાવાત કહ્યું કે, તેનાથી ઓછામાં ઓછા 50 કરોડ લોકોને લાભ મળશે. આ રીતે જોવા જઈએ તો દેશની અંદાજે 1.3 અબજ જનસંખ્યાના અંદાજે 40 ટકા માટે મોટી સ્વાસ્થય સુરક્ષા યોજાનાની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે. એટલે કે યોજના અંતર્ગત હવે ગરીબ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીના સ્વાસ્થ પર કોઈ ખર્ચ કરવો નહીં પડે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેટલીએ કહ્યું કે, અમે ગરીબ અને દુખી પરિવારોને પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયાની મદદ કરી શકીએ છીએ. આ વિશ્વનો સૌથી મોટો કાર્યકરમ હશે. હોસ્પિટલમાં ભરતી માટે એ સુનિશ્ચિત કરવામાં આવશે કે આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે પૂરો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમાયોજના અંતર્ગત ગરીબ પરિવારોનો 30 હજાર રૂપિયા સુધી સ્વાસ્થ્ય વીમા યોજનાનો લાભ આપવામાં આવે છે.
જેટલીએ જણાવ્યું કે, 2018-19 માટે આયુષ્માન ભારત કાર્યક્રમ માટે 1200 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. ટીબીના દર્દીઓને પોષક પદાર્શ ઉપલબ્ધ કરાવવા માટે 600 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -