સરકાર ગ્રેજ્યુઈટી અંગે લેશે બહુ મોટો નિર્ણય, ખાનગી કર્મચારીઓને થશે મોટો પાયદો, જાણો વિગત
એવી ભલામણ થઇ છે કે, પ્રાઇવેટ સેકટરમાં કામ કરી રહેલા લોકોને પણ કેન્દ્રીય કર્મચારીઓની જેમ વધુમાં વધુ 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટી મળવી જોઇએ. કાયદામાં ફેરફાર બાદ પ્રાઇવેટ સેકટરના કર્મચારીઓ 20 લાખ રૂપિયા સુધીની ટેકસ ફ્રી ગ્રેચ્યુઇટી મેળવવાના હક્કદાર બની જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા સમય પહેલા શ્રમ મંત્રાલયની બેઠકમાં પ્રાઇવેટ કંપનીઓના કર્મચારીઓ નોકરી છોડે તો 10 લાખને બદલે 20 લાખ ગ્રેચ્યુઇટી આપવા પર સહમતી બની હતી. કેબીનેટમાં પ્રસ્તાવ પાસ થયા બાદ તેને બજેટ સત્રના ચાલુ સત્રમાં રજુ કરાશે. 7માં વેતનપંચમાં ગ્રેચ્યુઇટીની સીમા 20 લાખ કરવા ભલામણ થઇ હતી.
કેન્દ્ર સરકારના કર્મચારી માટે ટેકસ ફ્રી ગ્રેચ્યુઇટીની સીમા વધારવાનો ફેંસલો 1લી જાન્યુઆરી 2016થી લાગુ થયો હતો. જેનુ નોટીફીકેશન 25 જુલાઇ 2016ના રોજ જારી થયુ હતુ. યુનિયન પ્રાઇવેટ સેકટરમાં પણ તેને જાન્યુઆરી 2016થી લાગુ કરવા માંગે છે. એક વધુ માંગ છે કે દર વર્ષના કામ માટે 15 દિવસને બદલે 30 દિવસનુ વેતન મળવુ જોઇએ પરંતુ સુધારા દરખાસ્તમાં માત્ર લીમીટ વધારવાની વાત છે.
આ બીલમાં એક વધુ સુધારો કરાશે જેનાથી કેન્દ્ર સરકારને માત્ર નોટીફીકેશન થકી આ સીમામાં ફેરફારનો અધિકાર મળી જશે. દર વખતે સંસદની મંજુરી લેવી નહી પડે. કર્મચારી યુનીયનોએ ઓછામાં ઓછા 10 કર્મચારી અને ઓછામાં ઓછા 5 વર્ષ નોકરીની શરત સમાપ્ત કરવા માંગણી કરી હતી. અત્યારે ગ્રેચ્યુઇટી માટે ઓછામાં ઓછા 5 વર્ષની નોકરી જરૂરી છે અને આ નિયમ એવી કંપનીઓ કે સંસ્થાઓમાં લાગુ થાય છે કે જયાં ઓછા ઓછા 10 કર્મચારીઓ હોય.
નવી દિલ્હી : પ્રાઇવેટ સેકટરમાં કામ કરતા કર્મચારીઓને આજે એક મોટી ગીફટ મળી શકે છે. કેન્દ્રીય કેબીનેટ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એકટ હેઠળ કરમુકત ગ્રેચ્યુઇટીની સીમા બમણી કરીને 20 લાખ રૂપિયા કરવા સાથે જોડાયેલા સંશોધન બિલના મુદ્દા પર આજે વિચાર કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -