નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સહિતના વિરોધીઓને જેની સાથે સરખાવ્યા એ 'શલ્ય' કોણ હતો ? જાણો રસપ્રદ વિગત
ઉલ્લેખનીય છેકે, મહાભારતના શલ્ય માદ્રીના ભાઈ અને નકુલ અને સહદેવના મામા હતા. તે મદ્ર રાજ્યના રાજા હતા. મહારથી શલ્યને એક સારા ગદાધારી તરીકે ઓળખવામાં આવતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહાભારત યુદ્ધ પહેલા શલ્યએ યુધિષ્ઠિરને વિજયી હોવાના આશીર્વાદ પણ આપ્યા. સાથે જ એ વચન પણ આપ્યું કે તે કર્ણના સારથી તરીકે તે કર્ણને હતોત્સાહિત કરશે જેથી યુદ્ધમાં પોતાની ક્ષમતા અને પ્રદર્શન ન કરી શકે. પીએમ મોદીએ આ વાતનો ઉલ્લેખ કરતાં પોતાના વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું.
દુર્યોધને તેને બોલાવીને તેની ખૂબ આગતાસ્વાગતા કરી. દુર્યોધને કલાકો સુધી તેની સેવા કરી. ત્યાર બાદ તેણે દુર્યોધનને કંઈક માગવા માટે કહ્યું. શલ્યને લાગ્યું હતું કે તેમનો આ સત્કાર યુધિષ્ઠિર કરી રહ્યા છે માટે તેણે તેને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારે જઈને શલ્યને ખબર પડી કે આ એક ષડયંત્ર હતું. પરંતુ ત્યાં સુધી તેણે દુર્યોધનને તેની ઇચ્છા પૂરી કરવાનું વચન આપી દીધું હતું.
આ વાત જાણીને નકુલ અને સહદેવ ખૂબ જ નારાજ થઈ ગયા અને તેણે કહ્યું કે, શલ્ય મામાએ એ સાબિત કરી દીધું કે અમે પાંડવો ના સાવકા ભાઈ છીએ. તેના પર યુધિષ્ઠિરે કહ્યું કે તે હવે પછી ક્યારે એવું ન બોલે કે સાવકા ભાઈ છે.
જ્યારે શલ્યને ખબર પડી કે મહાભારત યુદ્ધ થવાનું છે ત્યારે તે પાંડવો તરફથી લડવા માટે નીકળી પડ્યા અને રસ્તામાં જ દુર્યોઘને તેને છળ કપટથી પોતાની સેનામાં સામેલ કરી લીધા.
નવી દિલ્હીઃ પીએ મોદીએ બુધવારે વિજ્ઞાન ભવનમાં બોલતા નોટબંધી અને જીએસટી મુદ્દે મહાભારતના શલ્યનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો એવી રીતે હતોત્સાહિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેમ શલ્યએ કર્ણનો હતોત્સાહિત કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -