Winter Skin Care:શિયાળાની ઋતુમાં લોકો ડર્મેટાઈટીસની અનેક સમસ્યાથી ઝઝૂમે છે.ઠંડીના દિવસોમાં ત્વચા પરનો નેચરલ મોશ્ચર ઓછું થઇ જાય છે કુદરતી ભેજ ઓછો થવા લાગે છે. જેના કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે.


 શિયાળાની ઋતુની ઠંડી જેમ જેમ વધી રહી છે તેમ તેમ ચામડીના રોગના કેસો વધી રહ્યા છે. જે ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્વચાનો સોજો ત્વચા પર લાલાશ, ખંજવાળ અને સોજો વગેરે સમસ્યા સામાન્ય બની ગઇ છે.  આરોગ્ય નિષ્ણાતોના મતે ત્વચાનો સોજો વધવાનું કારણ શિયાળાની ઋતુ છે.


 શિયાળાની ઋતુમાં ત્વચાની કુદરતી ભેજ ઓછી થવા લાગે છે, જેના કારણે ત્વચા વિવિધ સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ બની જાય છે. ડર્મેટોલોજિસ્ટ ડૉ. સુમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે શિયાળા દરમિયાન સૂકી અને ઠંડી હવા ત્વચાના રક્ષણાત્મક કવચને નુકસાન પહોંચાડે છે, જેના કારણે ત્વચાનો સોજો વધી જાય છે.


શિયાળામાં ત્વચા સૂકી થઇ જતાં ડ્રાઇનેસના કારણે સતત ખંજવાળને કારણે દર્દીઓને ઊંઘવામાં પણ ઘણી વાર તકલીફ થાય છે અને ગંભીર કિસ્સાઓમાં આ સ્થિતિ ઘણા કોમ્લિકેશન પણ ઉભા થાય છે. સ્કિન ડ્રાઇ થઇ જાય બાદ ખંજવાળ આવવાથી અને ખજવાળવાથી તેના પર સોજો આવી જાય છે.


 ડો. ગુપ્તા શિયાળાના મહિનાઓમાં ત્વચાની સંભાળ પર ભાર મૂકે છે અને લોકોને નિયમિતપણે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરીને તેમની ત્વચાને સારી રીતે હાઇડ્રેટ રાખવાની સલાહ આપે છે. તેઓ સલાહ આપે છે કે સુગંધ રહિત અને સંવેદનશીલ ત્વચા માટે યોગ્ય મોઈશ્ચરાઈઝર પસંદ કરવું મહત્વપૂર્ણ છે. તેને સ્નાન કર્યા પછી થોડી વાર લગાવવાથી મોશ્ચર  જળવાઈ રહે છે.


 નિષ્ણાતો શું કહે છે સવારે સારી મોઇશ્ચરાઇઝિંગ બેઝ સનસ્ક્રીનનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. સૂર્યપ્રકાશથી ત્વચાને થતા નુકસાનથી બચી શકાય છે. નિષ્ણાતોના મતે નહાવા માટે જે કાપડનો ઉપયોગ કરવામાં આવે છે તે નોન-એલર્જિક હોવું જોઈએ. સાબુનું pH ત્વચાના pH જેટલું હોવું જોઈએ. લોકોએ ખૂબ સખત સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ. જે ત્વચાના ઉપરના સ્તરને નુકસાન પહોંચાડે છે. માત્ર ગંધના કારણે મોઈશ્ચરાઈઝર ન ખરીદવું જોઈએ. તેમાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તે કેમિકલ ફ્રી છે કે નહીં, નોન-એલર્જિક છે કે નહીં, આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.