Weight Loss Roti: વજન ઓછું કરવાના ચક્કરમાં કેટલાક લોકો ડાયટમાંથી રોટલીને દૂર કરી દે છે. લોકોને લાગે છે ઘઉંના કારણે વજન વધે છે. જો કે વજન ઉતારવા માટે આપને રોટલી બંધ કરવાની જરૂર નથી પરંતુ માત્ર લોટ બદલવાની જરૂર છે. તેનાથી આપનું વજન પણ નિયંત્રણમાં રહે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહે છે.


 બાજરાના રોટલા
વજન ઓછું કરવા માટે આપ ડાયટમાં બાજરાના રોટલાને સામેલ કરી શકો છો. તેમાં 97 કેલોરી રહે છે અને તેનાથી લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગૂડ કોલેસ્ટ્રોલ વધે છે.


મલ્ટીગ્રેઇન 
ડાયટમાં ઘઊંની જગ્યાએ મલ્ટીગ્રેઇન લોટ પસંદ કરી શકાય. તે પોષ્ટિક છે, તેનાથી વજન ઓછું થવામાં પણ મદદ મળે છે. બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.


ચોકરની રોટલી
ઘઉંના લોટમાં ચોકર નીકળે છે. તેને ચાણીને ઉપયોગમાં લઇ શકાય છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને વજન પણ ઘટાડી શકાય છે. તેમાં પોટેશ્યિમ, ફોરસ્ફોરસ, કેલ્શિયમ, મેગ્નેશ્યિમ, વિટામિન –ટી બી, કોમ્પલેક્સ હોય છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગૂડ કોલેસ્ટ્રોલ વધે છે. વજન પણ નિયંત્રિત કરી શકાય છે.


 ચણાની રોટલી
મેદસ્વીતાને દૂર કરવા માટે ઘઉંની જગ્યાએ ચણાના લોટની બનેલી રોટલી પણ ડાયટમાં સામેલ કરી શકાય છે. ચણાની રોટલી માટે 10 કિલો ચણામાં 2 કિલો જવ મિક્સ કરીને લોટ તૈયાર કરો. આ બંને અનાજને મિક્સ કરીને તેના લોટથી બનાવેલી રોટલી સ્વાસ્થ્યવર્ધક સાબિત થશે. તેનાથી વજન ઝડપથી ઘટી જશે. . તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગૂડ કોલેસ્ટ્રોલ વધે છે. વજન પણ નિયંત્રિત કરી શકાય છે.


રાગીના સેવનના ફાયદા


નાસ્તામાં રાગી આધારિત ખોરાક જેમ કે રાગી ઉપમા અથવા રાગીના પરાઠા ખાવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. રાગીમાં મળતા પોષક તત્વો આપના  શરીરને સ્વસ્થ બનાવે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. જેના કારણે હૃદય, મગજ, લીવર, કિડની અને ફેફસાં જેવા અન્ય અંગોમાં લોહીનો પ્રવાહ જળવાઈ રહે છે.


Health tips : ખાંડ છે સફેદ ઝેર, આજથી આ રીતે સેવન કરવાનું કરો બંધ, થશે આ જબરદસ્ત ફાયદા 


જો આપને સ્વસ્થ રહેવું હોય તો બને તેટલું ખાંડનું સેવન ઓછું કરો. આના કારણે શરીરને ઘણા ફાયદા થાય છે. 


જો તમે રોજિંદા ખોરાક સાથે ખાંડની માત્રા ઓછી કરો છો, તો આંતરડાનું સ્વાસ્થ્ય સારું રહે છે. આના કારણે શરીરમાં સારા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે જે પેટ માટે સારું છે.


 વધુ પડતી ખાંડનું સેવન કરવાથી શરીરનું બ્લડ શુગર લેવલ પણ વધે છે જે ડાયાબિટીસ જેવી બીમારીઓને જન્મ આપે છે. તેનાથી તમારી એનર્જી પણ ઓછી થાય છે. 


વધુ પડતી ખાંડનું સેવન આપના  રોગપ્રતિકારક શક્તિને પણ અસર કરે છે. આના કારણે તમને શરદી અને ઉધરસ જેવા સંક્રમિત રોગો ખૂબ જ ઝડપથી થાય છે. જેના કારણે ઉંમરની અસર ચહેરા પર ઝડપથી જોવા મળે છે. તેથી, યંગ દેખાવા માટે, તમારે ખાંડનું સેવન ઓછું કરવું જોઈએ.


વધુ પડતી ખાંડ ખાવાથી શરીરમાં સાયટોકાઈન્સ વધે છે, જેનાથી શરીરમાં સોજો  થાય છે. એટલા માટે તમારે ખાંડ છોડી દેવી જોઈએ.


આ સિવાય વધુ ખાંડ ખાવાથી લીવરમાં ચરબી જમા થવા લાગે છે. જેના કારણે તમને NAFLDનું જોખમ પણ હોઈ શકે છે. તે એક જીવલેણ રોગ છે. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો બને તેટલું ખાંડનું સેવન ઓછું કરો.