Men’s Superfood: સ્વસ્થ રહેવા માટે આહારશૈલીની મહત્વની ભૂમિકા હોય છે. આહારમાં ઈંડા, દૂધ, માછલી, ફળો અને શાકભાજી, બદામનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ.


સ્વસ્થ રહેવા માટે  આહારશૈલીની મહત્વની ભૂમિકા હોય છે. હેલ્ધી રહેવા માટે પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સથી ભરપૂર આહારમાં ઈંડા, દૂધ, માછલી, ફળો અને શાકભાજી, બદામનો ડાયટમાં  સમાવેશ કરવો જોઈએ.


આજની જીવનશૈલીમાં શરીરને સ્વસ્થ રાખવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. ઓફિસમાં બેસી રહેલ નોકરીઓ, લાંબી મુસાફરીનો સમય, નોકરીનો 9-10 કલાકનો થાક અને વધતી સ્પર્ધાને કારણે વધતી જતો માનસિક તણાવ,  સમયની અછતને કારણે તેઓ ખાવા-પીવામાં બેદરકારી દાખવે છે. જેના કારણે હાર્ટ, હાઈપરટેન્શન, બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર જેવી ખતરનાક બીમારીઓનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. આ બીમારીઓથી બચવા, ફિટ રાખવા માટે  ડાયટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. પુરુષોએ તેમના આહારમાં આવા પોષક તત્વોનો સમાવેશ કરવો જ જોઈએ, જેથી તેઓ લાંબા સમય સુધી ફિટ અને સ્વસ્થ રહી શકે. એવા ઘણા સુપરફૂડ છે જે પુરુષોના સ્વાસ્થ્યની કાળજી રાખવામાં મદદ કરે છે. ચાલો જાણીએ.


 પુરુષોએ સ્વસ્થ રહેવા અને હાડકાંને મજબૂત બનાવવા માટે દૂધ અને દહીંનું સેવન કરવું જોઈએ. આનાથી પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી, એમિનો એસિડ અને લ્યુટીનની ઉણપને પૂરી કરી શકાય છે.તમારે દરરોજ એક ઈંડું ખાવું જોઈએ. આના કારણે શરીરને પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન બી, વિટામિન ડી અને લ્યુટીન મળે છે.


ડાયટમાં ડ્રાય ફ્રુટ્સ કોઈપણ સ્વરૂપમાં સામેલ કરવા જોઈએ. અખરોટ અને બદામ ખાવાથી શરીરમાં LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે સોયા ફૂડ પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડે છે. સોયા ફૂડ એસ્ટ્રોજન હોર્મોન પણ વધારે છે. તમે ભોજનમાં સોયાબીન, ટોફુ, સોયા મિલ્ક અને મિસો સૂપનો સમાવેશ કરી શકો છો.


લીલા શાકભાજી ખાવા જ જોઈએ. લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં લ્યુટીન અને ઝેક્સાન્થિન હોય છે. આ બંને પોષક તત્વો મોતિયા અને આંખના અન્ય રોગો સામે રક્ષણ આપે છે.જો આપ નોન-વેજ ખાઓ છો તો માછલીને ડાયટમાં ચોક્કસ સામેલ કરો. તેનાથી ઓમેગા-3 ફેટી અને વિટામીન Eની ઉણપને પૂરી કરી શકાય છે. આનાથી હૃદયની સમસ્યાઓ દૂર થઈ શકે છે. એવોકાડો, કીવી, નારંગી અને તરબૂચ જેવા ફળો પણ પુરુષો માટે ફાયદાકારક છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને પુષ્કળ વિટામિન સી પ્રદાન કરે છે.


Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.