Amla Benefits: સામાન્ય રીતે આંમળાનું સેવન વાળને કાળા, અને ગ્રોથ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ તે માત્ર વાળની જ નહીં પરંતુ શરીરની અન્ય ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. આંબળા પૌષ્ટિક હોય છે. તેના એન્ટિઓક્સિડન્ટ્સના કારણે કોસ્મેટિક્સમાં તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. આયુર્વેદિક દવા તરીકે ત્વચા અને વાળની સમસ્યાને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જાણો આંબળા આપણા માટે કેવી રીતે ફાયદાકારક છે.


આમળાનાં ફાયદા


ઈમ્યુનિટી વધારે છે


આંબળામાં વિટામિન-C ભરપૂર માત્રામાં હોય છે, તેથી તે કુદરતી રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. જેથી શરીર બાહ્ય ચેપથી સુરક્ષિત રહે છે.


હૃદય માટે ફાયદાકારક


આમળામાં મળતું વિટામિન C હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જે લોકો ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન છે, તેમણે આમળાનું સેવન ચોક્કસ કરવું જોઈએ.


ત્વચાને સુંદર બનાવે છે


ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે વિટામિન C પણ જરૂરી છે. વિટામિન C ના સેવનથી ત્વચા ચુસ્ત રહે છે. ત્વચા પર ઝડપથી કરચલીઓ પડતી નથી. ત્વચામાં ગ્લો જળવાઈ રહે છે. આ માટે તમે ઇચ્છો તો દહીંમાં આમળા પાવડર મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.


બળતરા ઘટાડે છે


શરીરમાં હાજર ફ્રી રેડિકલ્સ હૃદય અને ત્વચાની સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર કરે છે. વાસ્તવમાં, ફ્રી રેડિકલ્સ પણ શરીરમાં બળતરા માટે જવાબદાર છે, જે ઘણા રોગોને જન્મ આપવાનું કામ કરે છે. પરંતુ આમળામાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ ફ્રી રેડિકલને બેઅસર કરે છે અને શરીરની બળતરાને દૂર કરવામાં મદદ કરે છે.


ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે


આંબળામાં ક્રોમિયમ હોય છે, જે ડાયાબિટીસની સારવારમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.


વજન ઓછું કરવામાં મદદરૂપ


વજન ઓછું કરવા માટે કાચા આંબળા ખાઓ. તે ઉપરાંત આંબળાના પાવડરને મધ અને હુંફાળા પાણીની સાથે પીઓ. થોડા દિવસમાં ફરક જોવા મળશે.


લોહીને સાફ રાખે છે


આંબળા કુદરતી રીતે લોહીને સાફ કરે છે. જો તમને ખીલ થતાં હોય તો આંબળાનો ફેસ પેક લગાવવો. આંબળા કોલેજન વધારવામાં પણ મદદ કરે છે, જે ત્વચાની ચમક વધારે છે.


માસિક સ્રાવ નિયમિત રાખે છે


માનવામાં આવે છે કે, આંબળામાં રહેલા મિનરલ્સ અને વિટામિન પિરિઅડમાં પેડના દુખાવાની સમસ્યાથી રાહત આપે છે અને માસિક સ્રાવને નિયમિત કરવામાં મદદ કરે છે.


યુરિન ઈન્ફેક્શન દૂર કરે છે


આંબળા યુરિનની માત્રાને નિયંત્રિત કરે છે અને યુરિન ઈન્ફેક્શનથી રાહત આપે છે.