Yoga Guru Swami Ramdev:  યોગ ગુરુ સ્વામી રામદેવે હાલમાં જ  ફેસબુક લાઈવ સેશન દ્વારા આધુનિક સ્વાસ્થ્ય પડકારો પર પોતાના વિચારો શેર કર્યા હતા.  તેમણે સ્પષ્ટ કર્યું કે જેનેટિક (આનુવંશિક), પર્યાવરણીય અને જીવનશૈલી સંબંધિત રોગોનો ઉકેલ ફક્ત દવાઓમાં જ નહીં, પરંતુ "પરમ ઔષધિ" અને શિસ્તબદ્ધ જીવનશૈલીમાં રહેલો છે.   

Continues below advertisement

જડ મૂળથી સારવારની જરૂરિયાત છે

યોગ ગુરુ સ્વામી રામદેવના મતે આધુનિક દવા પદ્ધતિનું પોતાનું મહત્વ છે, પરંતુ તે ઘણીવાર ફક્ત લક્ષણોની સારવાર કરે છે. ભારતીય પરંપરાગત જ્ઞાનનો ઉલ્લેખ કરીને તેમણે "ઔષધિ" અને "પરમ ઔષધિ" વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. તેમના મતે, "પરમ ઔષધિ" એક સર્વાંગી દ્રષ્ટિકોણ  છે જે રોગના લક્ષણો કરતાં તેના મૂળ કારણ (Root Cause)ની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 

Continues below advertisement

જેનેટિક અને પર્યાવરણીય પડકારો પર પ્રહાર

આજના સમયમાં વધતી જતી બીમારીઓ પર ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે,  ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેનેટિક વલણ, પ્રદૂષણ અને તણાવપૂર્ણ જીવનશૈલીનું પરિણામ છે.  તેમણે ખાસ કરીને "પ્રાલબ્ધ દોષ" (ભાગ્ય અથવા કર્મ સાથે સંકળાયેલ દોષ) નો ઉલ્લેખ કરતા કહ્યું કે જે ઘણીવાર અસાધ્ય માનવામાં આવે છે તેને પણ સતત યોગ, પ્રાણાયામ અને સંતુલિત પોષણ દ્વારા મોટાભાગે નિયંત્રિત કરી શકાય છે.       

સિંથેટિક ઉત્પાદનોથી દૂર રહેવાની સલાહ આપી હતી

યોગ ગુરુ સ્વામી રામદેવે વધતા પર્યાવરણીય રોગો સામે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે હવા, પાણી અને ખોરાકના દૂષણથી માનવ સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે.  તેમણે રસાયણો અને કૃત્રિમ ઉત્પાદનો પર વધુ પડતી નિર્ભરતા ઘટાડવાનું આહ્વાન કર્યું હતું.  તેમના મતે, રસાયણોનો લાંબા ગાળાનો ઉપયોગ ફક્ત માનવ શરીર માટે જ નહીં પરંતુ સમગ્ર ઇકોસિસ્ટમ માટે હાનિકારક છે.

સ્વદેશી અને સમગ્ર જીવનશૈલીનું આહ્વાન

પતંજલિ દ્વારા પરંપરાગત પ્રણાલીઓને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા તેમણે કહ્યું કે ડાયાબિટીસ, સ્થૂળતા અને હાયપરટેન્શન જેવા જીવનશૈલીના રોગોને આત્મ-અનુશાસન  અને શારીરિક પ્રવૃત્તિ દ્વારા અટકાવી શકાય છે. તેમણે અંતમાં દર્શકોને અપીલ કરી કે લાંબા ગાળાના સ્વાસ્થ્ય લાભો માટે આયુર્વેદ, યોગ અને નૈતિક જીવનને   દૈનિક જીવનમાં સમાવેશ કરવામાં આવે.