કેળું એક એવું ફળ છે, જે  આપણે વધુ બોડી બનાવવા માટે સેવન કરી છીએ.  જેઓ એથલીટ બનવા માંગે છે અથવા ખૂબ જ પાતળા છે અને ચરબી વધારવા માંગે છે, તેમને કેળા ખાવાની વધુ સલાહ આપવામાં આવે છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે કેળા માત્ર વજન વધારવામાં અને મસલ્સ બનાવવામાં મદદ કરે છે. જોકે એવું બિલકુલ નથી. કેળાના સેવનના બીજા પણ અન્ય ફાયદા છે. દરેક ઋતુમાં કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. દરરોજ એક પાકેલું કેળું ખાવાથી ડિહાઈડ્રેશન અટકે છે. કેળા ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.


શરીરના તાપમાન નિયમન કરે છે


કેળા એક એવું જ ફળ છે, જે લગભગ આખું વર્ષ મળે છે. તે ઉનાળા અને શિયાળા ચોમાસું દરેક ઋતુમાં મળે છે. કેળાં  શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવા માટે તમે દરરોજ એક કે બે કેળા પણ ખાઈ શકો છો. તે શરીરમાં વધુ અને વધુ પાણી જાળવી રાખવામાં મદદરૂપ છે.



હાર્ટબર્નથી રાહત


હાર્ટબર્નની સમસ્યાને દૂર કરવામાં કેળા ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે પણ તમને હાર્ટબર્ન થાય, પેટમાં એસિડિટી થાય, તો તમારે કેળું ખાવું જોઈએ. કેળા એન્ટાસિડ્સના કુદરતી વિકલ્પ તરીકે કામ કરે છે.


તણાવ દૂર કરવામાં મદદરૂપ


જે લોકો વધુ માનસિક થાક અને તણાવ અનુભવે છે, તેઓએ તેમના રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ કરવો જોઈએ. કેળા બ્લડપ્રેશરને યોગ્ય રાખવામાં મદદ કરે છે, પાચનક્રિયાને યોગ્ય બનાવે છે. કેળામાં ટ્રિપ્ટોફન હોય છે, જે તમારા સ્નાયુઓને રિલેક્સ  કરવામાં મદદ કરે છે.


લૂઝ મોશન અટકાવે છે


લૂઝ મોશનની સમસ્યામાં પણ કેળાનું સેવન રાહત આપે છે. કેળા ખાવાથી પાચનતંત્ર સૂ રહે છે.   લૂઝ મોશનના ઈલાજમાં કેળા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, જો તમને લૂઝ મોશનની સાથે પેટમાં દુખાવો થતો હોય, તો તમારે કેળા ખાવાનું ટાળવું જોઈએ


કબજિયાત દૂર કરવામાં મદદરૂપ


જ્યાં એક તરફ કેળા ખાવાથી લૂઝ મોશન મટે છે તો બીજી તરફ કેળા કબજિયાત મટાડવામાં પણ મદદરૂપ છે. કેળામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તે આંતરડામાં લુબ્રિકન્ટ તરીકે પણ કામ કરે છે. તેનાથી પેટ સાફ કરવામાં સરળતા રહે છે અને કબજિયાત દૂર થાય છે. જો કે દિવસમાં એક કે બેથી વધુ કેળા  ન ખાવા જોઇએ.