Research:એડિનબર્ગ યુનિવર્સિટીના તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, પેઈનકિલર અને પેરાસીટામોલનો વધુ પડતો ઉપયોગ લીવર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે પેઈનકિલરનો વધુ પડતો ઉપયોગ લિવર માટે કેટલો ખતરનાક છે. હાલમાં જ ઉંદરો પર એક સંશોધન કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે વધુ પડતી દવાનો ઉપયોગ શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે. જેની સારવાર ભવિષ્યમાં મુશ્કેલ છે.


ઓર્ગન ફેલ્યોર


પેઇનકિલર્સ અને પેરાસિટામોલ દવાઓ શરીર પર ખૂબ જ ખતરનાક અસર કરે છે. એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ તેમના સંશોધનમાં જણાવ્યું હતું કે પેરાસિટામોલ માનવ અને ઉંદર બંનેના લીવર, પેશીઓ અને કોષોને ખૂબ અસર કરે છે. આ દવાઓનો વધુ પડતો ઉપયોગ પણ ઓર્ગન ફેલ્યોર તરફ દોરી શકે છે.


ટાઇટ જંકશન કોશિકા  દિવાલના કોષો વચ્ચેના ખાસ જોડાણો છે જે જ્યારે તૂટે છે, ત્યારે યકૃતના કોષોની રચનાને નુકસાન થાય છે. તેઓ કોષના કાર્યને નબળી પાડે છે અને સેલ મૃત્યુનું કારણ પણ બને છે.


પેરાસીટામોલ દવા


સંશોધકો હવે પ્રાણી પરીક્ષણના વિકલ્પ તરીકે માનવ યકૃતના કોષોનો ઉપયોગ કરવાની વિશ્વસનીય રીત વિકસાવવાનું લક્ષ્ય રાખે છે. તે પછી તેઓ જોશે કે પેરાસિટામોલના વિવિધ ડોઝ કેટલા સમયમાં કેવી રીતે લીવરમાં ઝેરી અસર કરે છે. સાયન્ટિફિક રિપોર્ટ્સે આ અભ્યાસ પ્રકાશિત કર્યો છે, જેમાં સ્કોટિશ નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન સર્વિસ અને યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ અને ઓસ્લોના સંશોધકો સામેલ હતા.


પેરાસીટામોલ એ વિશ્વની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી  પેઇનકિલર છે, કારણ કે તે સસ્તી, સલામત અને અસરકારક છે. જો કે, આ દવા યકતને નુકસાન કરતી હોવાથી એક મોટી સમસ્યા રૂપ પણ છે. જેથી પેરાસિટામોલનો ઉપયોગ આડેધડ અને ડોક્ટરની સલાહ વિના  ન કરવો જોઇએ.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો