Black sesame benefits:શિયાળામાં કાળા તલના લાડુ બનાવવાની પરંપરા ઘરમાં દાદી-દાદી કે પહેલાથી ચાલી આવે છે. શિયાળાની ઋતુમાં તલની માંગ વધી જાય છે. કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લોકો કહે છે કે શિયાળામાં તલના લાડુ ખાવાથી હાડકાં મજબૂત બને છે, દુખાવો થતો નથી. પરંતુ તેના બીજા ઘણા ફાયદા છે. કાળા તલમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને ફાઈબર હોય છે. જે નબળાઈ દૂર કરે છે અને રક્ત પરિભ્રમણ સારૂ કરે  છે. આવો જાણીએ કાળા તલના બીજા કયા અન્ય  ફાયદા છે.


સાંધાના દુખાવામાં રાહત આપશે


શિયાળાની ઋતુ આવતાં જ હાડકામાં દુખાવો થવા લાગે છે. સંધિવાથી પીડિત લોકો માટે શિયાળો ખૂબ જ પીડાદાયક હોય છે. કાળા તલ ખાવાથી અથવા તેના તેલથી માલિશ કરવાથી દુખાવામાં આરામ મળે છે. આર્થરાઈટીસની સમસ્યા દૂર થાય છે.


હાડકાંને મજબૂત કરે છે


તલમાં સારી માત્રામાં કેલ્શિયમ છે. કોપર અને કેલ્શિયમ મળીને હાડકાંને મજબૂત બનાવે છે. જો ઘરમાં બાળકો હોય તો તેમને કાળા તલ અવશ્ય આપો. તે  બાળકોના સારા ગ્રોથ  માટે ખૂબ જ ફાયદાકારક છે.


કાળા તલ હૃદયને ફિટ રાખે છે


શિયાળાની ઋતુમાં બ્લડ સર્ક્યુલેશન ઘટી જાય છે. જેના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના વધી જાય છે. કાળા તલ શરીરને ગરમ  રાખવાની સાથે રક્ત પરિભ્રમણને સુધારે છે. જેના કારણે હૃદય રોગનો ખતરો ઓછો થાય છે. આ સાથે, ઘણા સંશોધનોમાં દાવો કરવામાં આવ્યો છે કે તલ અથવા તેનું તેલ ખાવાથી શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.


સુંદર ચહેરો અને ચમકદાર વાળ


શિયાળાની ઋતુમાં ચહેરાની ચમક અને વાળની ​​ચમક જતી રહે છે. તેમની જાળવણીમાં પણ તલ ખૂબ જ ફાયદાકારક છે. તલમાં થિયામીન, નિયાસિન, પાયરિડોક્સિન, ફોલિક એસિડ અને રિબોફ્લેવિન જોવા મળે છે. જે ચહેરા અને વાળ બંને માટે સારું છે. તલ ખાઓ અથવા તેના તેલથી ચહેરા અને વાળ પર માલિશ કરો, તેના ફાયદા ત્રણથી ચાર દિવસમાં દેખાય છે.


દાંત મજબૂત બનાવે છે


તલ દાંત માટે પણ ખૂબ સારા છે. રોજ સવારે કાળા તલ ચાવો. આનાથી દાંત મજબૂત થશે અને પોલાણ અને અન્ય સમસ્યાઓથી બચી શકાય છે.


નબળાઈ દૂર કરે છે


તલ ઊર્જાનો સારો સ્ત્રોત છે. તેમાં ફેટી ઓમેગા 3 નું ઉચ્ચ પ્રમાણ છે. તે નબળાઈ દૂર કરે છે. શિયાળાની ઋતુમાં આળસ સામાન્ય છે. પરંતુ કાળા તલનું સેવન કરવાથી તમે આ સિઝનમાં પણ ખૂબ જ સક્રિય રહેશો.


પાઈલ્સ ની સમસ્યા થી રાહત અપાવે છે


શિયાળાની ઋતુમાં પાઈલ્સ ખૂબ જ પરેશાન કરે છે. કારણ કે આ ઋતુમાં ઠંડીને કારણે રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે અને રક્ત પરિભ્રમણ અવરોધાય છે. જેના કારણે મળ પસાર કરવામાં ખૂબ જ દુખાવો થાય છે.ક્યારેક લોહી પણ નીકળવા લાગે છે. તલનું સેવન કરવાથી પાઈલ્સ મટે છે. કાળા તલનું રોજ ઠંડા પાણી સાથે સેવન કરવાથી ફાયદો થાય છે. 


Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો