શરીરમાં થતા ઘણા આંતરિક અથવા બાહ્ય ફેરફારો  શરીરમાં ઘણી વખત બળતરા થયા છે. આ સમસ્યા  ત્વચાને લગતી સમસ્યા પણ હોઈ શકે છે. કેટલીકવાર આ સમસ્યા પાછળ તમારો આહાર અથવા જીવનશૈલી પણ કારણભૂત હોઈ શકે છે. ચાલો જાણીએ કે પગમાં બળતરા થવાના કારણો શું હોઈ શકે છે અને તેને દૂર કરવા શું કરવું જોઇએ।


પોષક તત્વની કમીના કારણે પણ પગના તળિયામાં બળતરા થાય છે. વિટામીન બી12 સિવાય ફોલેટ, થાયમીન, વિટામીન બીની કમીના કારણે પગના તળિયામાં બળતરા થાય છે.કેટલીક વખત પગની જો યોગ્ય રીતે સારસંભાળ ન લેવાતી હોય આપ હાઇજીનનું ધ્યાન ન રખાતું હોય કેટલીક વખત ફૂટવેર પણ આ સમસ્યાનું કારણ બની શકે છે. ત્વચાને નુકસાન ન પહોંચાડે તેવા મટિરિયલ્સના ફૂટવેર પસંદ કરવા જોઇએ.


 


ડાયાબિટીસના દર્દીઓમાં, ચેતાને નુકસાન થવાને કારણે પગમાં બળતરા થઈ શકે છે. હાઈ બ્લડ સુગર ચેતાતંતુઓને નુકસાન થવાનું જોખમ વધારે છે, તેથી ડાયાબિટીસને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડાયાબિટીસને કારણે કિડનીની સમસ્યા પણ થઈ શકે છે અને તેનાથી પગમાં બળતરા પણ થઈ શકે છે. એ જ રીતે, પેરિફેરલ ન્યુરોપથી એટલે કે તમારી કરોડરજ્જુને હાથ, પગ, હાથ વગેરે સાથે જોડતી ચેતાને નુકસાન થવાથી પણ બળતરા થઈ શકે છે. તેની પાછળ ડાયાબિટીસ પણ એક કારણ હોઈ શકે છે.


પગમાં બળતરાની સમસ્યા માટે સ્વાસ્થ્ય વિશેષજ્ઞ કિમોથેરેપી સ ઓટોઇમ્યૂ, ડીસિઝ, કિડની ફેલિયર, ઝેરીલા રસાયણોના સંપર્કમાં આવવાથી પણ આ સમસ્યા થઇ શકે છે.આ સમસ્યાના ઉપાય માટે આપ વિટામીનની કમીને દૂર કરવા માટે મલ્ટી વિટામીનની ગોળીએ લઇ શકો છો. ઉપરાંત દેશી ગાયનું ધી કાંસાના વાસણાં લગાવીને તળિયામાં ઘસવાથી આ  સમસ્યામાં રાહત મળે છે. સવારમાં ખુલ્લા પગે લીલા ઘાસ પર ચાલવાથી પણ આ સમસ્યામાં રાહત મળે છે.