દેશમાં કોરોના વકર્યો છે. ગુજરાતના સુરતમાં પણ કોરોના વાયરસનો નવો સ્ટ્રેઇન કહેર મચાવી રહ્યો છે. કોવિડના નવા સ્ટ્રેઈનમાં અલગ પ્રકારના લક્ષણ સામે આવ્યા છે. જેમાં માથાનો દુખાવો, ચામડીના રોગ, ઝાડા થવા, આંખ આવવી, શરીરમાં કળતર અને દુખાવો, ગળામાં દુખાવો, હાથની આંગળીઓ અને પગનાં ટેરવા ફિક્ક પડી જવા જેવા લક્ષણ ધરાવતા લોકોમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે.


આ વસ્તુઓ મળી રહેશે તમારા રસોડામાંથી


જે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોય છે એવા લોકોને આવી સિઝનમાં તાવ, શરદી, ઉધરસ વગેરે જેવી તકલીફો ઝડપથી થતી હોય છે. ઈમ્યૂન સિસ્ટમ નબળી હોવાને કારણે શરીર વાતાવરણમાં રહેલાં બેક્ટેરિયાની ઝપટમાં આવી જાય છે અને વ્યક્તિ બીમાર પડી જાય છે. કોરોના સામે રક્ષણ મેળવવા ઘરમાં અને ખાસ કરીને રસોડામાં રહેલી કેટલીક ચીજો અકસર ઈલાજ બને છે.  એલચી, તજ, તુલસીના પાન, સૂંઠ અને મરીના ઉકાળાથી કોરોના સામે રક્ષણ મેળવી શકાય છે.


દેશી ઉકાળો


એલચી, તજ, તુલસીના પાન, સૂંઠ અને મરીને મિક્ષ કરીને બનાવેલો આ ઉકાળો શરીર માટે બહુ જ લાભકારી રહે છે. આ ઉકાળાનું નિયમિત સેવન તમારા શરીરને બીમારીઓથી બચાવશે અને તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવશે. આ ઉકાળામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીઈન્ફ્લેમેટરી તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરને ઈન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે.


હળદરવાળું દૂધ


હળદરવાળું દૂધ આપણાં સ્વાસ્થ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેનાથી ઈમ્યૂનિટી તો વધે જ છે, સાથે તેનાથી દરેક પ્રકારના સંક્રમણનો ખતરો પણ દૂર રહે છે. ડોક્ટર પણ હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે. જો તમારા શરીરમાં કોરોના વાયરસ પ્રવેશ પણ કરી ગયો હશે તો પણ તે તેને ખતમ કરી દેશે.


ગરમ પાણી  


જો તમે રોજ ઘરની બહાર જાઓ છો તો ગરમ પાણીનું સેવન કરવાનું શરૂ કરી દો. આનાથી તમને કોરોના સામે રક્ષણ મળશે. આયુષ મંત્રાલયનું પણ માનવું છે કે, ગરમ પાણી પીવાથી ઈમ્યૂનિટી વધે છે અને સારી ઈમ્યૂનિટી કોરોનાથી બચાવે છે. જો તમે વાયરસથી સંક્રમિત થઈ ગયા હશો તો પણ આ ઉપાય સંક્રમણને વધતા બચાવશે. જેથી ગરમ પાણી તમારા ડેઈલી રૂટીનમાં સામેલ કરી લો.


મરીનો ઉકાળો


એક નાની ચમચી કાળા મરી, ચાર ચમચી લીંબુનો રસને પાણીમાં મિક્ષ કરીને ગરમ કરો. દરરોજ સવારે આનું સેવન કરો પછી તેમાં 1 ચમચી મધ મિક્ષ કરીને પીવો. આનાથી તમને શરદી, ઉધરસમાં રાહત મળશે. જેનાથી શરીરીની રોગપ્રતિકારક શક્તિ પણ વધશે અને આ તમારા શરીરની વધારાની ચરબીને પણ ઘટાડવામાં મદદ કરશે.