Winter Foods for Diabetics: ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે ફાઇબરથી ભરપૂર અને ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. ફાઇબર પ્લાન્ટ બેસ્ટ ફૂડમાંથી મળે છે. જે બ્લડ સુગરને વધતા અટકાવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો તમે ડાયાબિટીસના દર્દી છો અને તમારા બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવા માંગો છો તો તમે આ વસ્તુઓને તમારા આહારનો ભાગ બનાવી શકો છો. ત્યારે ચાલો જાણીએ એવી કઈ 5 વસ્તુઓ છે જે તમારા ડાયાબિટિશને કંટ્રોલમાં રાખી શકે છે. જાણી લો હાઈ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરતાં આવા ખોરાક વિશે.. 


આ ખોરાક બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે


લસણ


ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે તેમના આહારમાં લસણનો સમાવેશ કરવો જોઈએ. લસણમાં વિટામિન સી, બી6, મેંગેનીઝ અને સેલેનિયમ જેવા તત્વોની સાથે એન્ટી-ઓક્સિડન્ટ્સ અને બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે. કેટલાક સંશોધનો દર્શાવે છે કે ખોરાકમાં લસણ ઉમેરવાથી બળતરા, ખરાબ કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.


પાલક


શિયાળાની ઋતુમાં આહારમાં તાજી પાલકનો સમાવેશ કરવાથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે. પાલકમાં ફોલિક એસિડ હોય છે.  જે બ્લડ સુગરની સાથે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.


મેથીના દાણા


મેથીના દાણા અથવા પાંદડામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે, તેને તમારા આહારનો ભાગ બનાવી શકાય છે. મેથીનું સેવન કરવા માટે તેના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. તેના પછી બીજા દિવસે ખાલી પેટે આ પાણી પીવો.


રાગી


રાગી એ એક પ્રકારનું અનાજ છે. જેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રાગી રોટલીમાં પ્રોટીન, ફાઈબર, આયર્ન, કાર્બોહાઈડ્રેટ અને મિનરલ્સ જેવા ગુણો જોવા મળે છે. જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.


કઠોળ


નિષ્ણાતો ડાયાબિટીસમાં પણ કઠોળ ખાવાની ભલામણ કરે છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં દાળનો સમાવેશ કરવો જોઈએ. તે જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની સાથે ફાઇબરથી ભરપૂર માનવામાં આવે છે.