Side Effects of Guava: શિયાળામાં જામફળ ખાવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. ખાસ કરીને વડીલો પેટની પાચન શક્તિ વધારવા અને ઝાડાથી રાહત મેળવવા કેળાની સાથે જામફળ ખાવાની ભલામણ કરે છે. તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધે છે. જો કે, કેટલાક લોકો એવા હોય છે જેમણે જામફળની ન ખાવા જોઈએ. આમ કરવાથી તેઓ ગંભીર રીતે બીમાર પડી શકે છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડી શકે છે. ચાલો જાણીએ કે, શિયાળામાં કયા લોકોએ જામફળ ખાવાથી બચવું જોઈએ.


આ રોગોના દર્દીઓએ જામફળ ન ખાવું જોઈએ


આરોગ્ય નિષ્ણાતોના મતે, સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ જામફળખાવાનું ટાળવું જોઈએ. તેનું કારણ એ છે કે જામફળની અસર ઠંડી હોય છે, જેના કારણે ગર્ભવતી અને નવજાત શિશુનું સ્વાસ્થ્ય બગડી શકે છે.શરદીથી પીડાતા લોકોએ જામફળ ખાવાનું પણ ટાળવું જોઈએ.


ખરજવુંથી પીડિત લોકોએ પણ જામફળ ખાવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી તેમને સોજાનો  સામનો કરવો પડી શકે છે. આવા લોકોએ ભૂલથી પણ જામફળના પાનનો પણ ન  ઉપયોગ ન કરવો જોઈએ. જેના કારણે ચામડીના રોગ થઈ શકે છે.


ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન ટાળવું જોઈએ


ડાયાબિટીસના દર્દીઓ જામફળ ખાઈ શકે છે, પરંતુ તેમણે ઓછામાં ઓછું તેનું સેવન કરવું જોઈએ. તેનું કારણ એ છે કે જામફળમાં પણ સુગર તો હોય જ છે.  જે તમારા ડાયાબિટીસનું સ્તર વધારી શકે છે. તમે તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જામફળ ખાવાનું નક્કી કરી શકો છો.


આવા લોકો કે જેઓ કોઈ પણ રોગ માટે ટૂંક સમયમાં ઑપરેશન કરવા જઈ રહ્યા છે, તેઓએ શસ્ત્રક્રિયાના 2 અઠવાડિયા પહેલા જામફળનું સેવન બંધ કરવું જોઈએ. આમ ન કરવાથી શરીરના રક્ત પરિભ્રમણમાં અવરોધ આવી શકે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.


ગેસ્ટ્રોના દર્દીઓ માટે પણ નુકસાન


જે લોકો પેટમાં ગેસ બનવાની સમસ્યાથી પરેશાન હોય તેમના માટે પણ જામફળનું સેવન કરવું સારું માનવામાં આવતું નથી. જેના કારણે તેની ગેસ્ટ્રોની સમસ્યા વધુ વધી જાય છે. જો તમને જામફળ ખાધા પછી પેટમાં ખેંચાણ અથવા ઉલ્ટી જેવું લાગે તો તમારે જામફળ ખાવાનું ટાળવું જોઈએ.


  Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને માન્યતા  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.