Heart Attack: બદલાતી જતી જીવનશૈલીના કારણે હાલતા ચાલતા લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થઈ રહ્યા છે. ત્યારે એબીપી અસ્મિતાએ દેશમાં જેમની ગણના શ્રેષ્ઠ હૃદયના ડોક્ટર તરીકે થાય છે. એવા ડોક્ટર તેજસ પટેલ સાથે વાત કરી. જેમાં તમને કહ્યું કે પહેલા 55-60 વર્ષે હાર્ટ એટેકના દર્દીઓ આવતા. સમય જતાં 50 વર્ષેના દર્દીઓ આવવા લાગ્યા અને ધીમે ધીમે હવે 30થી 25 વર્ષના દર્દીઓ હાર્ટ અટેકની બીમારી લઈને આવી રહ્યા છે જે તબીબી આલમમાં ચિંતાનો વિષય છે. 


પહેલા તો જ્યાં સુધી મહિલાને માસિક ધર્મ ચાલતું હોય ત્યાં સુધી હાર્ટ અટેકની શક્યતા રહેતી નથી, પરંતુ હવે લાઈફ સ્ટાઈલ બદલાઈ છે, ખોરાક બદલાયો છે, આ બધાના કારણે ફરક પડેલો જોવા મળી રહ્યો છે. તેમણે એ પણ કહ્યું કે આજકાલ લોકો પોતે ડોક્ટર બનીને દવા લઈ લે છે તે યોગ્ય નથી. જ્યારે પણ તકલીફ થાય ત્યારે જે જાણકાર ડોક્ટર હોય એની પાસે બતાવું જોઈએ, જો એમ ન કરો તો તકલીફ ન હોય તો પણ તકલીફમાં મુકાઈ જવાય. 


આ ઉપરાંત ડોક્ટર તેજસ પટેલે મહત્વની વાત એ પણ કહી કે હવે બાળકોને નાની ઉંમરથી જ ન માત્ર હૃદય પરંતુ શરીરના તમામ અંગોને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય અને જાળવણી કરવી જોઈએ તે અંગે જાગૃત કરવાની જરૂર છે. ખાસ ખાવા પીવાની બાબતે પણ ધ્યાન રાખવાની તાતી જરૂરીયાત છે. જીભને મીઠું લાગે એવી ચીજ વસ્તુ નહીં પરંતુ જીભને કડવી લાગે એવી વસ્તુઓ કે જે આરોગ્ય માટે સારી હોય તેની તરફ વળવાની જરૂર છે.


હાર્ટને તાઉમ્ર હેલ્ઘી રાખવા ઇચ્છો છો તો આ ડ્રાયફ્રૂટનું સેવન અચૂક કરો


રોજ અખરોટ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. ટેન્શન દૂર કરવા અને સારી ઊંઘ મેળવવા માટે તમારે અખરોટ ખાવા જ જોઈએ. જાણો 1 દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ ડ્રાયફ્રુટ્સમાં અખરોટ ખાઓ. અખરોટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અખરોટ ખાવાથી મગજ તેજ અને સક્રિય બને છે. અખરોટ એ આયર્ન, ફોસ્ફરસ, કોપર, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા પોષક તત્વોનો ભંડાર છે. મોટાભાગના લોકો અખરોટને પલાળ્યા વગર ખાય છે. આજે અમે તમને અખરોટની સાચી રીત અને યોગ્ય માત્રા વિશે જણાવી રહ્યા છીએ. આ સાથે, તમે જાણશો કે અખરોટના ફાયદા શું છે?


દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઇએ?
દિવસમાં 2થી3 અખરોટ ખાવા જોઇએ, જો કે તેનાથી વધુ અખરોટ ખાવાથી નુકસાન પણ થઇ શકે છે. 



કેવી રીતે ખાશો અખરોટ
શિયાળામાં તમે ઈચ્છો તો અખરોટને પલાળ્યાં વગર ખાઈ શકો છો, પરંતુ ઉનાળામાં તમારે અખરોટને પલાળ્યાં પછી જ ખાવા જોઈએ. અખરોટને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને ખાઓ. આ રીતે અખરોટ ખાવાથી તમને ઘણા ફાયદા થાય છે. 









અખરોટના સેવનથી મગજની કાર્યક્ષમતા વધે છે
હાર્ટના હેલ્થ માટે પણ અખરોટ ફાયદાકારક છે.
અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટસ હોય છે. જે દિલની બીમારીને દૂર કરે છે. 
અખરોટના સેવનથી તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે.માઇન્ડ શાંત રહે છે. 
અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે તેમજ ગૂડ કેલોસ્ટ્રોલની માત્રા વધે છે. 


આ ફૂડને ખોટી રીતે ખાઇ છે લોકો 



  • આ ફૂડને ખોટી રીતે ખાઇ છે લોકો 

  • મધને ગરમ પાણીમાં નાખીને પીવું નુકસાનકારક

  • ગરમીમાં મધનું અધિક સેવન નુકસાનકારક

  • લાલ મરચાનું વધુ સેવન હાનિકારક છે.

  • જમવાની સાથે પાણી પીતા રહેવું ખોટી રીત

  • પાચનતંત્ર પર તેની ખરાબ અસર થશે

  • સલાડ જમવાની સાથે ખાવું ખોટી રીત

  • તેની પણ પાચન તંત્ર પર ખોટી અસર

  • સ્પાઇસી ફૂડ સાથે દૂધ લેવું નુકસાનકારક છે

  • ખાટા ફળ સાથે દૂધ લેવું નુકસાનકારક છે


Disclaimer : અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.