Food Poisoning: ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં રોગો થવાનું જોખમ વધારે છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, તાવ વાયરલ થવાની સાથે સાથે ફૂડ પોઇઝિંગ જેવી સમસ્યાઓ પણ થવાની સંભાવના છે. આસ્થિતિમાં  ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન  રાખવાની જરૂર છે.  ઉનાળામાં ફૂડ પોઈઝનિંગની શક્યતા વધુ છે. તેનાથી બચવાના  ઉપાય જાણો


મોટાભાગના લોકો ઉનાળામાં જ ફૂડ પોઈઝનિંગની સમસ્યાથી પીડાય છે. આ દિવસોમાં બેક્ટેરિયાનો વિકાસ ખૂબ જ વધારે હોય છે. આવી સ્થિતિમાં, જો ખોરાકને લાંબા સમય સુધી બહાર રાખવામાં આવે તો તે 25 થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે અને આવી સ્થિતિમાં, ખોરાકમાં બેક્ટેરિયા ઝડપથી વધવા લાગે છે. આ જ કારણ છે કે બેક્ટેરિયાના વિકાસને રોકવા માટે ખોરાકને લાંબા સમય સુધી ફ્રીજની બહાર ન રાખવો જોઈએ.


ઉનાળામાં કાચું માંસ, ઈંડા, સીફૂડ, ડેરી ઉત્પાદનો, આથાવાળો ખોરાક, બચેલો ખોરાક, પાસ્તા મેંગી અથવા મેંદામાંથી બનેલી કોઈપણ વસ્તુ ઝડપથી બગડવા લાગે છે. આ બધી વસ્તુઓને ફ્રીજમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. જો તમે તેમને લાંબા સમય સુધી ફ્રિજની બહાર રાખો છો, તો તે ખૂબ જ ઝડપથી બગડી જશે. જેનું સેવન કરવાથી ફૂડ પોઇઝનિંગ થઇ જાય છે.


ઉનાળાની ઋતુમાં હવા સાથે બેક્ટેરિયા પણ આવે છે અને તે પોતાની સાથે અનેક પ્રદૂષકો પણ લાવે છેજેના કારણે  ક્યારેક આપણી રોગપ્રતિકારક શક્તિ પણ બગડી જાય છે. ઉનાળામાં જો ખોરાક તરત જ ન ખાવામાં આવે તો તે ઝેરી પણ બની શકે છે અને બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધે છે. આ માટે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.


ઉકાળેલું પાણી પીવો


 જો કે ઉનાળામાં આપણે ગરમ પાણી પીવું કે ઉકાળેલું પાણી પીવાનું પસંદ નથી કરતા, પરંતુ જો તમે પાણી ઉકાળીને ઠંડુ કરીને પીતા હોવ તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઉનાળામાં  ટાઈફોઈડ અને કમળો જેવી બીમારીઓ વધે છે. ઉકાળેલું પાણી પીવાથી તમારા પેટ માટે તો સારું રહેશે જ સાથે તે ફૂડ  પોઈઝનિંગ જેવી સમસ્યાઓથી પણ બચાવશે.