Health Tips: સરગવો સુપરફૂડની યાદીમાં સામેલ છે. લોકો આ છોડને ડ્રમસ્ટિકના નામથી પણ ઓળખે છે. આયુર્વેદમાં સરગવાની શીંગો અને પાંદડાનો વ્યાપક ઉપયોગ થાય છે. સરગવો પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, એમિનો એસિડ, વિટામિન એ અને સીથી ભરપૂર છે. સરગવામાં ખનિજો પણ ભરપૂર પ્રમાણમાં છે. એટલા માટે સરગવાને ઔષધીય પાવરહાઉસ કહેવામાં આવે છે. સરગવાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તે એન્ટિફંગલ, એન્ટિવાયરલ અને એન્ટીડિપ્રેસન્ટ ગુણોથી ભરપૂર છે. તમે તેના પાંદડા, પાઉડર અથવા શીગનું શાક બનાવીને ખાઈ શકો છો. હૃદય અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સરગવો ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના ફાયદા.


રોગપ્રતિકારક શક્તિમાં વધારો- સરગવા એટલે કે ડ્રમસ્ટિકના પાન ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેના પાન ફાયટોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેઓ કોઈપણ પ્રકારના ચેપ સામે લડવામાં પણ મદદ કરે છે. ડ્રમસ્ટિક વિટામિન સી, વિટામિન એ અને આયર્નથી ભરપૂર હોય છે.


એનર્જી વધે છે- સરગવો ખાવાથી શરીરને એનર્જી મળે છે, જેનાથી થાકની સમસ્યા દૂર થાય છે. સરગવાના પાંદડામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે અને તે સુસ્તી અને નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે.


હાડકાંને મજબૂત બનાવે છે- સરગવાના પાનમાં પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે, જેના કારણે હાડકાં મજબૂત અને સ્વસ્થ બને છે. સરગવાના પાંદડામાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે જે તમને સંધિવા અને ઑસ્ટિયોપોરોસિસ સામે લડવામાં મદદ કરે છે.


ડાયાબિટીસ કંટ્રોલ કરે - સરગવાના પાન ખાવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે. તેને ખાવાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે. સરગવામાં ક્લોરોજેનિક એસિડ હોય છે, જે ખોરાક ખાધા પછી બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.


હૃદયને રાખે સ્વસ્થઃ- સરગવાના પાન ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, જેનાથી હૃદય સંબંધિત સમસ્યાઓ થતી નથી. જો તમારું કોલેસ્ટ્રોલ વધારે હોય તો તેનાથી રક્તવાહિનીઓ ગંઠાઈ જાય છે અને હાર્ટ એટેકનો ખતરો રહે છે.