યોગ ગુરુ બાબા રામદેવ આજે દુનિયાભરમાં ફિટનેસ અને આયુર્વેદના આઈકોન બની ગયા છે. 59 વર્ષની ઉંમરમાં પણ તેમની સ્ફૂર્તી અને ઊર્જા  યુવાનોને મ્હાત આપે છે. હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાના સ્વાસ્થ્ય, સફળતા અને દૈનિક દિનચર્યા વિશે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે સમજાવ્યું કે કેવી રીતે સાધારણ જીવનશૈલી અને યોગ દ્વારા  વ્યક્તિને ગંભીર બીમારીઓથી મુક્ત રહી શકે છે.

બ્રહ્મમુહૂર્તમાં જાગવાનું મહત્વ

બાબા રામદેવના દિવસની શરુઆત બ્રહ્મમુહૂર્ત (સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે)માં શરૂ થાય છે. તેમનું માનવું છે કે વહેલા ઉઠવાથી શરીર અને મનને નવી ઉર્જા મળે છે. જાગ્યા પછી, તેઓ પહેલા ધરતી માતા અને તેમના ગુરુઓને નમન કરે છે અને પછી હૂંફાળું પાણી પીવે છે, જેથી પેટ સાફ રહે છે અને શરીર ડિટોક્સિફાઇ થાય છે.

Continues below advertisement
Continues below advertisement

યોગ અને ધ્યાન: દિવસનો આધાર

બાબા રામદેવની દિનચર્યાનો સૌથી ખાસ ભાગ યોગ અને ધ્યાન છે. તેમનું કહેવું છે કે તેઓ દરરોજ એક કલાક મેડિટેશન એટલે કે ધ્યાન કરે છે,  જે માનસિક શાંતિ અને તણાવમાં રાહત  માટે જરૂરી છે. આ પછી, તેઓ નિયમિતપણે કપાલભાતિ, અનુલોમ-વિલોમ અને સૂર્ય નમસ્કાર જેવા યોગ આસનોનો અભ્યાસ કરે છે. તેમના મતે, યોગ ફક્ત શરીરને સ્ફૂર્તિલું જ નહીં, પણ ડાયાબિટીસ, સ્થૂળતા અને હૃદય રોગ જેવા ક્રોનિક રોગો સામે પણ રક્ષણ આપે છે.

સાત્વિક અને પ્રાકૃતિક આહાર

ભોજનના મામલે બાબા રામદેવ "સાત્વિક આહાર" ના સમર્થક છે. તેઓ તેમના આહારમાં તાજા ફળો, લીલા શાકભાજી અને કુદરતી સ્ત્રોતોમાંથી મેળવેલા ખોરાકનો સમાવેશ કરે છે. તેઓ સ્પષ્ટપણે જણાવે છે કે જંક ફૂડ શરીર માટે ઝેર સમાન છે. શાકાહારી ભોજન શરીરના ત્રણ મુખ્ય દોષો - વાત, પિત્ત અને કફને સંતુલિત કરવામાં મદદ કરે છે જેથી બીમારીઓ તમારી નજીક પણ નથી આવતી. 

બાબા રામદેવનો સંદેશ સ્પષ્ટ છે કે જો તમે સ્વસ્થ રહેવા માંગો છો તો પ્રકૃતિ તરફ પરત ફરો. આયુર્વેદ, નિયમિત યોગ અને સંતુલિત આહાર લાંબા અને સ્વસ્થ જીવનની ચાવી છે. આ આદતોને અપનાવીને તમે ફક્ત તમારા શરીરને સ્વસ્થ રાખી શકતા નથી પરંતુ માનસિક સ્પષ્ટતા અને સફળતા પણ પ્રાપ્ત કરી શકો છો.