How Much Water Should You Drink Everyday: ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં ઘણો પરસેવો થાય છે. થોડા સમય માટે તડકામાં બહાર નીકળો તરત જ તમારા કપાળમાંથી પરસેવો ટપકવા લાગે છે. આખા શરીરમાં પરસેવો થવા લાગે છે અને આવી સ્થિતિમાં ડિહાઈડ્રેશનનો ખતરો વધી જાય છે. ડિહાઇડ્રેશન એટલે શરીરમાં પાણીની ઉણપ. એટલા માટે કહેવાય છે કે ઉનાળામાં પુષ્કળ પાણી પીવું જોઈએ અને તેની સાથે ફળો, જ્યુસ, અન્ય પીણા વગેરે લેવા જોઈએ. તેઓ તમારા શરીરમાં પાણીની કમી થવા દેતા નથી. બાય ધ વે, શું તમે જાણો છો કે ઉનાળાની ઋતુમાં એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ?


એક દિવસમાં ઓછામાં ઓછું કેટલું પીવો છો પાણી?


પાણી આપણા શરીર માટે સૌથી આવશ્યક છે. એકવાર પાણી વગરના જીવનની કલ્પના કરવી પણ શક્ય નથી. દરરોજ આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. ઋતુ પ્રમાણે આપણા શરીરમાં પાણીની માત્રાની વધ-ધટ થતી રહે છે. શિયાળામાં ઓછું પાણી પીવાથી પણ તમે હાઇડ્રેટ રહી શકો છો, જ્યારે ઉનાળામાં હાઇડ્રેટ રહેવા માટે વધુ પાણીની જરૂર પડે છે. ધીમે ધીમે ઉનાળો આવી રહ્યો છે અને ફિટ રહેવા માટે લોકોએ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ.


નિષ્ણાતોના મતે સામાન્ય રીતે વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 2થી 3 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ જ્યારે ગરમી વધુ હોય ત્યારે શરીરમાંથી પરસેવો નીકળે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં 3થી 4 લીટર પાણી પીવું જોઈએ. વએક શ્વાસમાં પાણી પીવાને બદલે, તમારે તેને ચુસ્કી લઈને પીવું જોઈએ. તેનાથી તમારી પાચન શક્તિ પણ સુધરે છે.


ઉનાળામાં રોજ કેટલા લીટર પાણી પીવું જોઈએ? 


ઉનાળાની ઋતુમાં 2.5 થી 3 લીટર પાણી પીવું જોઈએ. આમ કરવાથી તમે હાઈડ્રેટ રહેશો અને કિડની સંબધિત બીમારીઓ તેમજ પથરી જેવી સમસ્યાઓથી બચી શકાય છે. જો તમે લાંબા સમય સુધી ઓછું પાણી પીવો છો, તો તે કિડનીમાં પથરી સહિત અનેક રોગોનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા શરીરમાંથી પેશાબના રૂપમાં કચરો દૂર કરવામાં મદદ કરે છે.