Health: હાર્ટ અટેક એ એટલી ગંભીર સમસ્યા બની ગઈ છે કે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ઘણા લોકો હાર્ટ પ્રોબ્લેમથી પરેશાન છે, જેના પર  હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ખતરો હંમેશા રહે છે. આવી સ્થિતિમાં, હાર્ટ એટેકમાં  સૌથી પહેલા શું કરવું જોઈએ જાણીએ નિષ્ણાતનો મત. હાર્ટ એટેકની સ્થિતિમાં તમે ઈમરજન્સી મેડિસનને લઇને તેની ગંભીરતાને અમુક હદ સુધી હદ સુધી ઘટાડી શકો છો.


હાર્ટ અટેકની ઇમરજન્સી મેડિસિન


ઈન્સ્ટાગ્રામ પર podcast.playground નામના પેજ પર પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. બિમલ છાજેરનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે હાર્ટ એટેક આવે તો પહેલા શું કરવું જોઈએ? તેમણે કહ્યું કે હાર્ટ એટેકનો અર્થ એ છે કે હૃદયમાં લોહીનો ગંઠો થઇ જવો અને રક્ત સંચાર બધ થઇ જવો. તેને ઓગળવા માટે આપણે ડિસ્પ્રીન દવા આપી શકીએ છીએ. આ ઉપરાંત હૃદયરોગના હુમલાની સ્થિતિમાં દર્દીને ક્લોપીડોગ્રેલ નામની દવા પણ આપી શકાય છે.  એટોર્વાસ્ટેટિન નામની દવા પણ હાર્ટ એટેકના દર્દીને તરત જ આપી શકાય છે. જો તે તેને ચાવીને ખાવામાં આવે તો તેની અસર તરત જ થાય છે. એટલું જ નહીં, ડૉ. બિમલ છજેરે જણાવ્યું કે હાર્ટ એટેકના દર્દીએ આ ત્રણ દવાઓનો એક પૅચ પોતાની સાથે રાખવો જોઈએ અને કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિમાં તેનું સેવન કરવું જોઈએ.                             


હાર્ટ એટેકમાં જિંદગી બચાવવાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને 794000 થી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. એક યુઝરે કહ્યું કે, થોડા મહિના પહેલા મારી માતાને પણ હાર્ટ એટેક આવ્યો હતો, તેણે તરત જ એસ્પિરિન અને સોર્બિટ્રેટ દવા લીધી અને ડોક્ટરે પણ તેની બુદ્ધિમત્તાની પ્રશંસા કરી, કારણ કે તેણે તેની આ સુઝને કારણે તેની જિંદગી બચી ગઇ.  જ્યારે હૃદયના સ્નાયુઓમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે અથવા પૂરતું લોહી હૃદય સુધી પહોંચતું નથી, ત્યારે હાર્ટ એટેક આવે છે. આવી સ્થિતિમાં, આ પરિસ્થિતિથી બચવા માટે, તમારે તંદુરસ્ત જીવનશૈલી જાળવવી જોઈએ અને વધતા  કોલેસ્ટ્રોલ સ્તર અને સ્થૂળતાની સમસ્યાથી બચવું જોઈએ.