Loss of Consciousness :અચાનક બીમાર થવુ સ્વાભાવિક છે પરંતુ ઘણા કિસ્સાઓમાં તે ગંભીર અને જીવલેણ રોગોની નિશાની હોઈ શકે છે. તેથી, આવી સમસ્યાના કિસ્સામાં, તરત જ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે.


જો તમે અચાનક બેહોશ થઈ જાઓ છો, તો તેનું કારણ લો બ્લડ પ્રેશર અથવા મગજમાં લોહીનો ઓછો પુરવઠો છે. પરંતુ ક્યારેક મૂર્છા એ ગંભીર અને જીવલેણ રોગોની નિશાની પણ હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, તે હૃદયની સમસ્યાઓ સાથે સંબંધિત છે. હેલ્થ એક્સપર્ટના મતે, જ્યારે કોઈ વ્યક્તિ સિંકોપ એટલે કે અચાનક બેહોશ થઈ ગયા પછી ભાનમાં આવે છે, ત્યારે તે સંપૂર્ણ રીતે સાજો થઈ જાય છે. આ એરિથમિયાની નિશાની પણ હોઈ શકે છે. આમાં હૃદયના ધબકારાનું સંતુલન ખોરવાઈ જાય છે. તેને અવગણવાથી સ્ટ્રોક કે હાર્ટ એટેક આવી શકે છે.


મૂર્છા અને હૃદય વચ્ચેનું સંબંધ


અલગ-અલગ લોકોમાં બેભાન થવાના કારણો અલગ-અલગ હોઈ શકે છે. વારંવાર આવું થવું  હૃદય અથવા રક્ત વાહિનીઓની સમસ્યાઓના પણ સંકેત આપે  છે. ક્યારેક એવું પણ માની લેવામાં આવે છે કે, મૂર્છા એક ન્યુરોલોજીકલ સમસ્યા છે, પરંતુ તે ખોટું છે. આ જ કારણ છે કે શરૂઆતના તબક્કામાં ઘણા ઓછા લોકો કાર્ડિયોલોજિસ્ટ સુધી પહોંચે છે. કાર્ડિયાક સિંકોપ અચાનક થાય છે. આમાં કોઈ સંકેત નથી મળતા. તેથી જ તેનું નિદાન અને બાદ તેની સમયસર સારવાર સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ  બની જાય છે.


બેભાન થવાના કારણો


એરિથમિયા


મૂર્છાએ એરિથમિયાનું પ્રારંભિક લક્ષણ છે. આમાં, શરીરના અન્ય ભાગોમાં રક્ત પરિભ્રમણ અસામાન્ય થઈ જાય છે. ઘણા કિસ્સાઓમાં, તેનાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ જો તેના સંકેતો સમયસર ન સમજાય અને  સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે.


આયોર્ટિક ડિસેક્શન


મૂર્છા એ પણ આ રોગના પ્રારંભિક લક્ષણોમાંનું એક છે. તે ત્યારે થાય છે જ્યારે હૃદયમાંથી લોહીને શરીરના અન્ય ભાગોમાં વહન કરતી ધમની ફાટી જાય છે.


એઓર્ટિક વાલ્વ સ્ટેનોસિસ
આ રોગમાં હૃદય અને મહાધમની વચ્ચેનો વાલ્વ સાંકડો થઈ જાય છે. આ જન્મ દરમિયાન અથવા મોટી ઉંમરે પણ થઇ શકે છે.


મોટી ઈજા
ક્યારેક બેભાન થઈને પડી જવાથી ગંભીર ઈજા થઈ શકે છે. જો તે માથા અથવા હાડકાને અથડાવે તો આ ઈજા ખતરનાક બની શકે છે.


બેહોશીની કઇ સ્થિતમાં સાવધાન થઇ જવું


માથાનો દુખાવો, ગભરાટ
હાર્ટ બીટ ઝડપી થવા
ઉબકા
આંખો સામે અંધકાર છવાઇ જવો
ચક્કર
અચાનક પડી જવું
ચક્કર, નબળાઇ


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial