Sugarcane Juice :  દિલ્હીના જીટીબી હોસ્પિટલમાં મેડિસિન વિભાગના ડૉ. અજીત કુમાર મુજબ, શેરડીનો  રસ શરીરને તાજગી આપે છે અને તેમાં રહેલું ફાઇબર પણ લાભદાયી છે. પરંતુ નીચેના લોકો માટે આ રસથી પરેહેજ રાખવો જરૂરી છે:

ડાયાબિટીસ ધરાવતા લોકો

જેઓને ડાયાબિટીસ છે અને જેમનો બ્લડ શુગર લેવલ વધારે રહે છે, તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ. કારણ કે તેમાં કુદરતી ખાંડનું પ્રમાણ વધારે હોય છે, જે શરીરમાં શુગર લેવલને ઝડપથી વધારી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે આ જોખમી બની શકે છે.                          

મોટાપાથી પીડાતા લોકોજેઓનું વજન વધારે છે તેમણે પણ ગન્નાના રસથી દૂર રહેવું જોઈએ. તેમાં કેલરી વધુ હોય છે અને તે ઝડપથી બ્લડ શુગર વધારવામાં મદદ કરે છે. આ બંને બાબતો મોટાપા માટે અનુકૂળ નથી. જોકે, જો શુગર લેવલ નિયંત્રણમાં હોય અને કોઈ દવા ન લેતા હોય તો અઠવાડિયામાં એક વખત એક ગ્લાસ પી શકાય.                                                                                                                                      

પાચન સમસ્યા ધરાવતા લોકોજેઓને અવારનવાર અજીર્ણ, પેટમાં દુખાવો અથવા ગેસની સમસ્યા રહેતી હોય તેમણે પણ  શેરડીનો  રસ ટાળવો જોઈએ. કારણ કે આ રસ પેટની સમસ્યાઓને વધુ વધી શકે છે.

ધ્યાનમાં રાખવાની બાબતોશેરડીનો રસ વધારે માત્રામાં ન પીવોખાલી પેટે પીવાથી બચવુંઆ રીતે યોગ્ય જાણકારી સાથે શેરડીના  રસનું સેવન કરવું વધુ સુરક્ષિત છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો