Cancer :કેન્સર એ એક એવો શબ્દ છે, જે સાંભળતા જ મનમાં ડર પેદા કરે છે અને તે સાચું છે, કારણ કે તે એક ગંભીર અને જીવલેણ રોગ હોઈ શકે છે. જો કે આજના સમયમાં કેન્સરની સારવાર શક્ય બની છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં, કેન્સરમાં વિલંબથી નિદાન થતાં  સારવાર મુશ્કેલ બની જાય છે. તેનું કારણ છેલ્લા સ્ટેજમાં કેન્સરની તપાસ છે. આવા કેન્સરના કેસોમાં સ્વાદુપિંડના કેન્સરના કેસોનો પણ સમાવેશ થાય છે. વાસ્તવમાં, સ્વાદુપિંડના કેન્સરના લક્ષણો ખૂબ મોડેથી દેખાય છે, જેના કારણે તેની સારવાર મુશ્કેલ બની જાય છે. તેથી જ તેને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ-

પૈક્રિયાજ કેન્સર કેમ કહેવાય છે સાયલન્ટ કિલર

આ કેન્સરને સાયલન્ટ કિલર એટલા માટે કહેવાય છે, કારણ કે તેના શરૂઆતના સ્ટેજમાં લક્ષણો ખૂબ જ મામૂલી અનુભવાય છે. જેના કારણે દર્દી તેની અવગણના કરે છે. કેટલીક વખત તો ત્યારે તેના લક્ષણો અનુભવાય છે જ્યારે તે એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયું હોય. જેના કારણે આ કેન્સરના ઇલાજની શક્યતા ઓછી થઇ જાય છે.

સ્વાદુપિંડના કેન્સરના લક્ષણો શું છે?

સ્વાદુપિંડના કેન્સરના લક્ષણો એકદમ સામાન્ય છે, તેથી લોકો આ લક્ષણોની અવગણના કરે છે, જે પછીથી ગંભીર બની જાય છે. તેથી, વ્યક્તિએ પોતાના શરીરમાં જોવા મળતા સામાન્ય ફેરફારોને ક્યારેય અવગણવા જોઈએ નહીં. ચાલો જાણીએ તેના કેટલાક સામાન્ય લક્ષણો,

પીઠના ઉપરના ભાગમાં સતત દુખાવો

શરીરના વજનમાં અચાનક ઘટાડો

ભૂખ ન લાગવી

આંખો અને ત્વચા પીળી પડી જવી

ઉબકા અથવા ઉલટી થવી

ખૂબ થાક લાગવો

પીળો પેશાબ અને મળનો રંગ લાઇટ હોવો

અચાનક ડાયાબિટીસ ડિટેક્ટ થવું

આવા લોકોને વધુ જોખમ

કેટલાક લોકોમાં સ્વાદુપિંડના કેન્સરનું જોખમ ઘણું ઊંચું હોય છે

જે લોકો ધૂમ્રપાન કરે છે અને વધુ પડતા આલ્કોહોલનું સેવન કરે છે

60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોનો સમાવેશ થાય છે

કેન્સરનો કૌટુંબિક ઇતિહાસ

સ્થૂળતા અને પ્રકાર 2 ડાયાબિટીસના દર્દીઓ વગેરે.