Weight Loss Tips: આજકાલની  ભાગદોડ ભરી જિંદગી અને ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે સ્થૂળતા એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. લોકો ઝડપથી વજન ઘટાડવા માટે "શોર્ટકટ" અપનાવી રહ્યા છે, જેમાં વજન ઘટાડવાની ગોળીઓ અને ઇન્જેક્શન સૌથી સામાન્ય છે. નવી દિલ્હીમાં તાજેતરમાં એક કાર્યક્રમમાં યોગ ગુરુ બાબા રામદેવે આ મુદ્દા પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો અને લોકોને આ કૃત્રિમ દવાઓના જોખમો વિશે જાણકારી આપી હતી.

Continues below advertisement

કૃત્રિમ દવાઓથી બચો 

બજારમાં આજકાલ  Wegovy, Ozempic અને Mounjaro જેવા ઘણા ઇન્જેક્શન અને ગોળીઓ વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે. કંપનીઓ દાવો કરી રહી છે કે તે ભૂખ ઓછી કરીને  વજન ઘટાડે છે. બાબા રામદેવે તેને શરીર માટે અત્યંત ખતરનાક ગણાવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે કૃત્રિમ પદ્ધતિઓ દ્વારા વજન ઘટાડવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. પતંજલિના વજન ઘટાડવાના ઉત્પાદનો વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે તેમની ગોળીઓ સંપૂર્ણપણે કુદરતી તત્વોમાંથી બનાવવામાં આવે છે, કૃત્રિમ રસાયણોથી નહીં.

Continues below advertisement

કુદરતી પદ્ધતિઓ પર ભાર આપો

બાબા રામદેવના મુજબ,  વજન ઘટાડવા માટે કોઈ બહારની દવાઓની જરૂર નથી. તેમણે કેટલીક સરળ અને અસરકારક ટિપ્સ શેર કરી હતી, જેમ કે દૂધીનો રસ અને હૂંફાળું પાણી, સવારે ઉઠ્યા પછી હૂંફાળું પાણી પીવું અને દૂધીનો રસ પીવાથી ચરબી બર્ન કરવામાં ખૂબ જ મદદ મળે છે. દોડવું અને યોગ તેમણે સમજાવ્યું કે તેઓ પોતે સવારે 3 વાગ્યે ઉઠે છે અને યોગ કરે છે. નિયમિત યોગ અને સવારે દોડવાથી શરીર કુદરતી રીતે ફિટ રહે છે.

ઉપવાસનું મહત્વ

બાબા રામદેવે ઇન્ટરમિટન્ટ ઉપવાસ  (Intermittent Fasting)ને સમર્થન આપતા કહ્યું કે ઉપવાસ આપણા શરીર માટે જરૂરી છે. તેમણે પેટને આરામ આપવા માટે દિવસમાં માત્ર એક જ વાર ખાવાની સલાહ આપી. આ સાથે જ તેમણે ડિજિટલ ઉપવાસ અને મૌન વ્રતનું પણ સૂચન કર્યું. તેમના મતે 8 થી 10 કલાક ફોન અને ઇન્ટરનેટથી દૂર રહેવાથી (ડિજિટલ ઉપવાસ) મનને શાંતિ મળે છે, જે એકંદર સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

બાબા રામદેવનો સંદેશ સ્પષ્ટ છે કે સ્વસ્થ રહેવા માટે કોઈ શોર્ટકટ નથી. દવાઓ અને ઇન્જેક્શનનો આશરો લેવાને બદલે યોગ, સંતુલિત આહાર અને ઉપવાસને તમારી દિનચર્યામાં સામેલ કરવો એ દીર્ધાયુષ્ય અને ફિટ શરીરનું સાચું રહસ્ય છે. તેમણે ભાર મૂક્યો કે વ્યક્તિનું શરીર અને મન,  બંને પર કોઈ ડાઘ ન હોવો જોઈએ.