Hair Care Tips : ખરાબ જીવનશૈલી, ખાનપાનની આદતો અને પ્રદૂષણની અસર માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ વાળને માટે પણ નુકસાનકારક છે.  વાળ ખરવા એમાંની જ  એક સમસ્યા છે, જે પ્રદૂષણ, તણાવ અને જીવનશૈલીના કારણે સ્ત્રીઓ અને પુરુષો બંનેને પરેશાન કરે છે. ફિલ્મ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપુર પણ આવી જ સમસ્યાઓનો સામનો કરી રહી છે જેનો તેણે તાજેતરમાં ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને કારણે વાળ ખરવા લાગે છે. જો કે તેના આ સમસ્યાના કેટલાક ઉપાય પણ આપ્યાં છે.


વાળ ખરવા એ એક એવી સમસ્યા છે, જે વાળની કાળજી ન લેવાને કારણે પણ થાય છે. વાળને ખોટી રીતે બાંધવાથી અથવા વાળની યોગ્ય સારવાર ન કરવાથી હેર ફોલ્સની સમસ્યા થાય  છે. જો તમે પણ વાળ ખરવાથી પરેશાન છો તો મીરા રાજપૂત દ્વારા જણાવવામાં આવેલા ઉપાયો અપનાવો, તમને જલ્દી ખરતા વાળથી છુટકારો મળશે.


વાળ ખરતા અટકાવવા માટે "દ્વિ-પાંખીય અભિગમ" અપનાવવાની જરૂર છે. વાળને મૂળમાંથી મજબૂત કરો અને વાળના ફોલિકલ્સને વધારીને વાળના વિકાસને પ્રોત્સાહન આપો.


જો તમે વાળ ખરવાથી પરેશાન છો તો સૌથી પહેલા પોનીટેલને રબર બેન્ડથી બાંધવાનું બંધ કરો. ચુસ્ત પોનીટેલ ટ્રેક્શન એલોપેસીયાનું કારણ બની શકે છે જે વાળના વિકાસને ધીમું કરે છે. વાળને બાંધવા માટે રેશમી કપડામાંથી બનાવેલ છૂટક રબર અથવા રબર બેન્ડનો  ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.


વાળને યોગ્ય રીતે સુકવવાથી વાળ ખરતા અટકે છેઃ વાળ ધોયા પછી ટુવાલ વડે વાળ સુકાવો અને ભીના વાળમાં કોમ્બિંગ કરવાનું ટાળો. ભીના વાળમાં કાંસકો કરવાથી વાળ વધુ ખરતા હોય છે.


ચંદ્રની અસર આપણા વાળ પર થાય છે.  જો તમે પૂર્ણ ચંદ્રમાં તમારા વાળ કાપો છો, તો તે ઝડપથી વધે છે અને જો આપ ફુલ મૂનમાં હેર કટ કરો છો તો તે ઝડપથી વધે છે.


 


વાળ ખરવા માટે મીરાએ એ પણ  તારણ  કાઢ્યું  છે કે, અપૂરતું પાણી પીવું, જંકફૂડ વધુ ખાવું, અને વર્ક આઉટનું અભાવ વગેરે પણ વાળ ખરવાના કારણ બને છે.