Foods With Both Positive And Negative Effects:આપણે દરરોજ જે ખોરાક ખાઈએ છીએ તે નક્કી કરે છે કે આપણે કેટલા સ્વસ્થ છીએ. એટલા માટે આજકાલ દરેક વ્યક્તિ હેલ્ધી ઈટિંગના કોન્સેપ્ટને ફોલો કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, આટલી બધી માહિતી હોવા છતાં, તે જાણવું મુશ્કેલ બની જાય છે કે ખરેખર આપણા માટે શું સ્વાસ્થ્યપ્રદ છે અને શું નથી. આપણને લાગે છે કે આપણે હેલ્ધી ફૂડ ખાઈ રહ્યા છીએ, પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત હોઈ શકે છે.તો , આપણે જેને બિનઆરોગ્યપ્રદ માનીએ છીએ તે ખરેખર આપણા માટે ફાયદાકારક હોઈ શકે છે. હા, તમે પણ વાંચીને ચોંકી જશો. વાસ્તવમાં, આવી કેટલીક ખાદ્ય વસ્તુઓ બંનેનું મિશ્રણ છે. જો તે મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો તે સારા હોય છે અને જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તે હાનિકારક બને છે. જાણો આ કઈ ખાદ્ય વસ્તુઓ છે, જે સ્વાસ્થ્ય માટે સારી અને ખરાબ બંને હોઈ શકે છે.


ઘી


આ સુવર્ણ અમૃત વાસ્તવમાં તદ્દન તંદુરસ્ત હોઈ શકે છે. ન્યુટ્રિશન એક્સપર્ટ્સનું કહેવું છે કે, ઘીમાં આવશ્યક વિટામીન અને પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જો કે, તેના ફાયદા તમે તેને કેવી રીતે ખાઓ છો અને તેનું સેવન કેવી રીતે કરો છો તેના પર નિર્ભર કરે છે. ઘી વધારે ગરમ કરવાથી હાનિકારક સંયોજનો બની શકે છે. તેથી એક ચમચી ઘી તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવી શકે છે, પરંતુ ડીપ ફ્રાઈંગ કરવીને ખાવું હાનિકારક છે.


અથાણું


હવે વાત અથાણાની કરીએ., ભોજન સાથે અથાણું ખાવું એ દરેક ભારતીય ઘરોમાં પ્રિય છે. આ પ્રોબાયોટિક્સ અને એન્ટીઑકિસડન્ટોનો ભંડાર છે. પરંતુ આપણા સ્વાસ્થ્યને તેમના મસાલેદાર સ્વાદની કિંમત ચૂકવવી પડે છે કારણ કે તેમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. જો તમે તેને વધુ પ્રમાણમાં ખાઓ છો, તો તે કાર્ડિયોવેસ્ક્યુલર રોગો તરફ દોરી શકે છે.


નાળિયેર


નારિયેળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. તે કેલરીમાં ઓછી છે, તંદુરસ્ત ચરબી અને ટ્રિગ્લિસરાઈડ્સ (MCTs)થી સમૃદ્ધ છે. આ તમામ સંયોજનો નાળિયેરને પોષણનું પાવરહાઉસ બનાવે છે. જો કે, એ વાતને અવગણવી ન જોઈએ કે, નાળિયેરમાં કેલેરી પણ વધુ હોય છે. એટલા માટે મર્યાદિત માત્રામાં નારિયેળનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તેના ફાયદાઓ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે નાળિયેર પાણી પીવું.


ચોખા


ચોખાની વાત કરીએ તો ચોખા આવશ્યક ઉર્જા પ્રદાન કરે છે, પરંતુ તેનો વધુ ઉપયોગ ન કરવો જોઈએ. ભાત ખાતી વખતે, તમારી પ્લેટમાં પ્રોટીન અને ફાઇબરનું સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે. આ બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો અટકાવવામાં મદદ કરશે. ચોખા એક ઉત્તમ વિકલ્પ છે, પરંતુ તેને  ભોજનની આપની પ્લેટનું મુખ્ય કેન્દ્રબિંદુ ન બનાવો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો