International Yoga Day:આજે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આજકાલ યોગના અનેક ફોર્મ આવી ગયા છે. આવો જ એક સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન ફોર્મ પણ છે.


સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન યોગનો શું છે ફાયદો?


માઇગ્રેઇનથી પીડિત દર્દીઓ માટે આ યોગ રાહત આપનાર છે. ઉપરાંત આ યોગ કરવાથી મનને અસીમ શાંતિની અનુભૂતિ થશે. ડિપ્રેશનમાં પણ આ યોગ રામબાણ ઇલાજ છે. જે લોકો અનિંદ્રાની સમસ્યાથી પીડિત હોય છે તેવા લોકો જો આ યોગ કરે તો તેમની અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે અને ઘસઘસાટ ગાઢ નિંદ્રા માણી શકે છે. સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન યોગથી કેટલી માનસિક બીમારીથી હંમેશા માટે છૂટકારો મળે છે. 45 મિનિટ જો આ યોગ કરવામાં આવે તો માનસિક તણાવથી મુક્તિ મળે છે. વિદ્યાર્થી માટે પણ સાઉન્ડ એન્ડ વ્રાઇબ્રેશન યોગ ઉત્તમ છે. આ યોગથી મનની એકાગ્રતા વધે છે.


Weight Loss: સાંજના સમયે કરશો આ ભૂલ તો ક્યારે નહિ ઘટે આપનું વજન, જાણો નિષ્ણાતનો મત


આજકાલ મોટાભાગના લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે, તેથી જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે સાંજે કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ.