Health Tips: કોરોના સંક્રમણ ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. ઓમિક્રોન વધુ સંક્રામક હોવાથી કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ સ્થિતિમાં ઇમ્યુનિટી વધારતા અને સંક્રમણથી શરીરનું રક્ષણ કરતા ફૂડને ડાયટમાં સામેલ કરવા જરૂરી છે.


કોવિડ-19એ ફરી એકવાર દેશમાં પગ પેસારો કર્યો છે.  કોરોના સંક્રમણ ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. આવી સ્થિતિમાં  આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. એવા ફૂડ લેવા જોઇએ જે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સંક્રામક રોગોથી શરીરનું રક્ષાક્વચ બનીને રક્ષણ કરે.


સવારે ખાલી પેટ લવિંગનું સેવન કરવાથી  રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ સાથે જ  ઘણી બીમારીઓથી પણ છુટકારો મળે છે. આવો અમે તમને જણાવીએ લવિંગ ખાવાના ફાયદા.




ઇમ્યુનિટી વધારે છે


લવિંગમાં વિટામિન સી અને કેટલાક એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં શ્વેત રક્તકણોને વધારવા માટે જાણીતા છે. તે શરીરને કોઈપણ ચેપથી બચાવે છે અને રોગો સામે લડવામાં મદદ કરે છે, જ્યારે કોરોનાના સમયગાળા દરમિયાન દરરોજ લવિંગનું સેવન કરવું જોઈએ, આ કરવાથી આપ સંક્રામક રોગથી  બચી શકો છો.


પાચનમાં સુધારો કરે છે


સવારે લવિંગનું સેવન કરવાથી  પાચન સંબંધી કોઈપણ સમસ્યાઓનો ઈલાજ કરવામાં મદદ મળે છે. લવિંગ પાચન ઉત્સેચકોના સ્ત્રાવને વધારે છે. જે કબજિયાત અને અપચો જેવી પાચન વિકૃતિઓને અટકાવે છે. લવિંગમાં ફાઈબર ભરપૂર હોય છે જેનાથી  પાચન માટે સારું રહે છે.


લિવરના સ્વાસ્થ્ય માટે ઉપકારક


આપનું લીવર શરીરને ડિટોક્સિફાય કરે છે. તેથી, તમારા લીવરને સુધારવા માટે, આપ  દરરોજ લવિંગનું સેવન કરી શકો છો. લવિંગ લીવરને સુધારવાનું કામ કરે છે.


હાડકા માટે શ્રેષ્ઠ છે લવિંગ


લવિંગમાં ફ્લેવોનોઈડ્સ, મેંગેનીઝ અને યુજેનોલ હોય છે. જે હાડકા અને સાંધાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને લવિંગનું સેવન હાડકાંની ઘનતા વધારવામાં મદદ કરે છે.