નવી દિલ્લી : જો કોરોના રસી મળ્યા પછી પ્રાપ્ત રસીના પ્રમાણપત્રમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય, તો હવે તમે તેને જાતે ઠીક કરી શકો છો. કેન્દ્ર સરકારે આજે એક નવું અપડેટ જાહેર કર્યું છે, જેમાં તમે હવે પ્રમાણપત્ર પર તમારું નામ, જન્મ તારીખ અને લિંગ બદલી શકો છો અને ભૂલોને સુધારી શકો છો. 


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે કહ્યું કે,  કોવિન વેબસાઇટ દ્વારા આ સુધારા  કરી શકાશે. આરોગ્ય સેતુ એપના  ઓફિશયલ ટ્વિટ પર માહિતીઅપાઇ છે.  , “જો કોવિન રસીકરણના પ્રમાણપત્રોમાં અજાણતાં તમારા નામ, જન્મ તારીખ અને લિંગમાં કોઈ ભૂલો રહી ગઇ  હોય તો કોવિનની વેબસાઇટ પર જાઓ અને આ સંદર્ભમાં તમારી સમસ્યા શેર કરીને આપ જાતે તેને અપડેટ કરીને ભૂલ સુધારી શકો છો. 


કોવિડ રસીકરણનું પ્રમાણ પત્ર આપને યાત્રા સમયે ઉપયોગી થઇ શકે છે. આ કારણે સરકારે રસીના પ્રમાણપત્રમાં ભૂલને સુધારવા માટેનું ઓપ્પશન આપીને યુઝ્રર્સને પ્રમાણ પત્ર અપડેટ કરાવની સુવિધા આપી છે.


બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માટે એપ પર દેખાશે બે લીલી રંગના ડોટ્સ.જે લોકોએ વેક્સિનનનો એક ડોઝ લીધો છો. તેમને વાદળી રંગનો એક ડોટસ દેખાશે,. તો બંને ડોઝ લઇ લીધાના 14 દિવસ બાદ તેમના નામ સામે બે ડોટસ દેખાશે.  રસીકરણ માટે  કોવિન એપ પર રજિસ્ટ્રેશન માટે  જે મોબાઇલ નંબરનો ઉપયોગ થયો હોય તે  તેના દ્રારા વેક્સિનનું પ્રમાણ પત્ર અપડેટ કરી શકાશે . રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ -19ની કુલ 23,90,58,360 ડોઝ આપી દેવાઇ છે. 


શું છે દેશમાં કોરોનાની સ્થિતિ?
 ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 14મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,506 નવા કેસ નોંધાયા હતા અને 895 લોકોના મોત થયા હતા, જ્યારે 51,526 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. શનિવારે 1206 લોકોના મોત થયા હતા. જુલાઈ મહિનામાં જે સૌથી વધુ મૃત્યુઆંક છે. છેલ્લા બે દિવસમાં જ 2100થી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે.


કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96  ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.