ટેલિવૂડ: “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં જેઠાલાલનો ખરાબ સમય ચાલી રહ્યો છે. વ્યાપારમાં આવતી મુશ્કેલીઓના કારણે તેઓ નિરાશ થઇ ગયા છે. જેઠાલાલની સ્થિતિ હાલ એવી થઇ ગઇ છે કે, તેમણે સોસાયટી સાથે દુકાન પણ છોડવી પડશે. જેઠાલાલનો બિઝનેસ હાલ આર્થિક ક્રાસિસમાંથી પસાર થઇ રહ્યો છે. દુકાનમાં કર્મચારીઓને પગાર ચૂકવવા માટે અસમર્થ જેઠાલાલે દિલ પર પથ્થર મૂકીને કેટલાક નિર્ણય કર્યાં છે.


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લોકડાઉનના કારણે ભોગીલાલને ક્રેડિટ પર આપેલા સામાનનું પેમેન્ટ ન મળતાં જેઠાલાલ આર્થિક ભીંસમાં આવી ગયા છે. જેઠાલાલ પેમેન્ટ મેળવવા માટે ખૂબ કોશિશ કરી  પરંતુ સફળ ન થતાં આખરે દુકાન વેચવાનો નિર્ણય કર્યો છે. જેઠાલાલે આ કારણે ગોકુલધામ સોસાયટી પણ છોડવી પડશે તે વાતને લઇને પણ દુ:ખી છે. હવે એ જોવું ખૂબ જ રસપ્રદ હશે કે, તે કેવી રીતે આ મુશ્કેલીમાંથી બહાર આવે છે.