મોમોજ ખૂબ જ મસાલેદાર ચટણી સાથે ખાવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેની અસર તરત જ નથી દેખાતી પરંતુ લાંબાગાળે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

 

આજે ફાસ્ટ ફૂડનો ક્રેઝ લોકોમાં વધી રહ્યો છે. મોટાભાગની વ્યક્તિને ફાસ્ટ ફૂડની લત હોય છે. જેમાં મોમોઝ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હાલ માર્કેટમાં મોમોજની ડિમાન્ડ  વધી રહી છે. મોમોઝ ભારતના ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ શું તમે જાણો છો કે મોમોજનું સેવન આપના  માટે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે.

મોમોજ ખૂબ જ ઓછી કિંમતે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ સિવાય તમે તમારા ઘરે પણ સરળતાથી મોમો બનાવી શકો છો. આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના મોમો મળે છે જેમ કે વેજ મોમોજ, પનીર મોમો, સોયાબીન મોમોજ, નોન-વેજ મોમોજ, તેને તમે તેલમાં બાફી કે તળીને પણ ખાઈ શકો છો.

થઇ શકે નુકસાન

મોમોજ  ખૂબ જ મજેદાર ચટણી સાથે લઇ શકાય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. તેનો ઉપયોગ લાંબા સમયે નુકસાનકારક સાબિત થાય છે અને બીમારીનું કારણ બની શકે છે.

લાલ મરચું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે. જો કે લાલ મરચું ત્યારે જ ફાયદાકારક છે. જ્યારે તેમાં કંઇ મિક્સ ન કર્યું હોય,. બજારમાં આવતું લાલ મરચું ખૂબ જ ખરાબ ગુણવત્તાવાળું હોય છે. જેનાથી પાઇલ્સનું જોખમ ઉંભુ થાય છે.

ઉપરાંત મોમોજમાં મોનો-સોડિયમ ગ્લૂટામેટ મિકસ કરવામાં આવે છે. જે સફેદ ક્રિસ્ટલ પાવડરની જેવો હોય છે. જે મેદસ્વીતા વધારે છે અને નર્વસનેસ સિસ્ટમને પણ ડિસ્ટર્બ કરે છે.

જાણો અંગૂર ખાવાના ગેર ફાયદા શું છે?

  • અંગુરનું વધુ સેવન કરવું સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી
  • અંગુરમાં ભરપુર માત્રામાં  શુગર હોય છે
  • જેના કારણે વેઇટ વધે છે અને ડાયરિયા થઇ શકે છે
  • ક્રોનીક કિડની ડિસીઝના દર્દીઓએ અંગુર ન ખાવા
  • ડાયાબિટિશના દર્દીઓએ પણ અંગુર ન ખાવા જોઇએ
  • અંગુરમાં સૈલિસિલિક એસિડ ઇંફ્લામેશન મોજૂદ હોય છે
  • જે પેટમાં દુખાવો અને બ્લોટિંગ જેવી સમસ્યાઓ થાય છે
  • કેટલાક લોકોને અંગુર ખાવાથી ખંજવાળની સમસ્યા થાય છે
  • કોઇ દવા લેતાં હોવ  તો અંગુર ખાતા પહેલો ડોક્ટરની સલાહ લો